________________
પોતાના કળાસંગ્રહમાંથી ભરૂચના મંદિરના પટની છબિઓ અને શ્રી વાસુદેવ સ્માર્તની ચિત્ર-અનુકૃતિઓ આ ગ્રંથમાં છાપવાની સમંતિ આપવા બદલ માનનીય શ્રી પ્રફુલ્લભાઈ શાહ અને શિલ્પાબેન શાહ(ગાર્ડન સિલ્ક મિલ્સ, સુરત)નો આભારી છું.
આ ગ્રંથના સમગ્ર આયોજનની તથા કલાત્મક મુદ્રણની જવાબદારી ઉમળકાથી સ્વીકારનાર મિત્ર અનિલ રેલિયા ને બિમલ રેલિયા(આર્ચર, અમદાવાદ)નું પણ હૃદયપૂર્વક સ્મરણ કરું છું.
આ પ્રકાશનની જવાબદારીમાં અત્યંત રસ લઈને સમગ્ર કાર્યમાં અડગ રીતે સાથ આપવા માટે શ્રી સેવંતીભાઈ મહેતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તે સાથે શ્રી ૐકારસૂરિ આરાધના ભવન અને શ્રી વાવ જૈન સંઘના ટ્રસ્ટીઓનો આભારી છું.
આ કાર્યમાં દક્ષિણ ગુજરાતનાં દિગમ્બર અને શ્વેતામ્બર જૈન મંદિરોના અનુયાયીઓ, શ્રાવકો, ગુણીજનો, જે કોઈએ મદદ કરી હોય તે સર્વનો આભાર.
આ પ્રસંગે પ્રિય નીતા, રાજર્ષિ અને કૃષ્ણપ્રિયાનું સ્મરણ.
શ્રી વાસુદેવ માર્તની સાથે અને ત્યાર બાદ એમના વગર આ પુસ્તકની તૈયારી માટે મારે પણ દક્ષિણ ગુજરાતનાં અનેક જૈન મંદિરો અને જૈનકળાના દર્શનની તક મળી. એ વેળા અનેકવાર એવું અનુભવ્યું છે કે તેઓ મારી સાથે જ છે. એમના કળાકાર ચૈતન્યને નમન કરી આ ગ્રંથ કલાજગતને અર્પતાં આનંદ,
વારસ - ૧૨ નવેમ્બર ૨૦૦૧
- જગદીપ સ્માર્ત
૧૦ : જૈન કોઇપટ-ચિત્ર
Jain Education Intemational
Jain Educătion International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org