________________
કલા રસિક આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજી અને ગુજરાતના કલાગુરુશ્રી વાસુદેવ સ્માર્તની એક વહેલી સવારની કલા ભાવન સભામાં સદ્ભાગ્યે ઉપસ્થિત હતો. જૈનો દ્વારા થયેલાં અભુત કલાકાર્યોની ચર્ચા ચાલી, દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોનાં કાષ્ઠપટ ચિત્રોની બન્ને ભાવકો ઊંડાણ ભરી કલાચર્ચા સાથે “હવે જળવાશે?”ની વેદનાને ઘૂંટતા હતા. “કંઈક કરીએ આ કલા સમૃધ્ધિને સાચવવાનો વિચાર રમતો થયો. મેં શ્રી સંઘના ટ્રસ્ટી સાથીદારોને આ વેદનાની અને કંઈક કરવાની વાત કરી, સૌએ વિચાર વધાવ્યો અને પરિણામ આપના કરકમળમાં છે.
શ્રી વાસુદેવ માર્તની વિશાળ, અનુભવી કલા અને તે પ્રાજ્ઞષ્ટિ સાથેનું કલા સર્જન તે તેમનું જીવન. અમારે આજે એ સુરત રત્નને “જૈન કલા વારસાના ખરા હિતચિંતક તરીકે આદર અંજલિ આપવી જ રહી. વાસુદેવભાઈએ જૈન કલા વારસાના સંરક્ષણ માટે કરેલ ચિંતન તેમ જ જહેમત અને તે દ્વારા તેમણે જૈન સંઘની કરેલી સેવાને આ કલાગ્રંથ અંજલિ છે.
આ ધર્મકલાસંગ્રહગ્રંથ શ્રી જૈન સંઘ અને વિશ્વ સમક્ષ મુકાઈ રહ્યો છે, તે માત્ર અને માત્ર આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજીએ આ ગ્રંથ માટે ત્રણ વર્ષ સુધી કરેલ પરિશ્રમનું પરિણામ છે. આચાર્યશ્રીએ પોતાની ધર્મપરંપરાના મહાન વારસાને જગત સમક્ષ મૂકવાનું એક અનિવાર્ય કાર્ય સંર્વાશે પૂર્ણ કર્યું. આ કાર્યમાં અમને સાથે રાખવા માટે અમો તેઓશ્રીના ખુબ જ ઋણી છીએ.
આચાર્ય શ્રી ભદ્રસૂરિજીના ૧૦૦માં દીક્ષા વર્ષની મંગળ ઘડીએ, પૂ.આચાર્ય ભગવંત શ્રીૐકારસૂરિ મહારાજના દિવ્ય આશિષ અને આચાર્યશ્રી યશોવિજયસૂરિજીના સતત પ્રેરણા બળે આ કાર્ય સંપન્ન થયું છે.
શ્રી જગદીપ સ્માર્તની ઉદારતાને આ ક્ષણોએ સ્નેહથી યાદ કરું છું.
જ્ઞાનપંચમી ૨૦૫૮, સુરત
(સેવંતીલાલ અ. મહેતા)
ટ્રસ્ટી ગણવતી
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org