________________
નબળું છે અથવા તો મારા ઉદ્યમમાં કંઈક કમી છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે મારી આછીપાતળી સેવા મારા ઉપાદાનની પવિત્રતાને નજીક લાવશે.
“કોઈ સાધક એવા હોય છે કે શ્રેષ્ઠ નિમિત્તો મળવા છતાં ઉપાદાન જેમનું તૈયાર નથી. બીજા એવા સાધકો હોય છે કે જેમનું ઉપાદાન ઠીકઠાક તૈયાર હતું પણ તેમને શ્રેષ્ઠ નિમિત્તો મળતાં નથી. બંને પ્રકારના સાધકો સાધનામાર્ગે ચાલી શકતા નથી. - જેમનાં નિમિત્તો શ્રેષ્ઠ મળી ગયાં છે, અને જેમનું ઉપાદાન તૈયાર છે તે સાધકો સાધનામાર્ગે દોડી શકે છે.
આ કોના જેવું થયું ? ઘરે દૂધપાક – પૂરી બનેલાં પણ પેટ બગડેલું હતું. દૂધપાક – પૂરી ખાઈ ન શકાય. બે દિવસ પછી પેટ સારું હતું. ત્યારે રોટલા – દાળ મળ્યાં પણ તે મઝાનાં લાગ્યાં.
તે પ્રમાણે પ્રભુ સાક્ષાત્ હતા, આપનું શ્રેષ્ઠ દર્શન હતું, પણ ચૂકી ગયેલો. આજે પ્રભુ મૂર્તિ રૂપે છો, આપની વાણી ગુરુ દ્વારા મળે છે. તેથી આ દુષમ કાળ છતાં મારે માટે ઉપકારી નીવડ્યો.”
જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાધિનો લોભ, તૃષ્ણા, દૈહિકમાન વગેરે જેવા મોહનાં પ્રબળ કારણો. હોય, આગ્રહ છોડવા ન હોય, લોકેષણાની વૃદ્ધિ હોય ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ પ્રગટે ? આત્માનુભૂતિ કેમ થાય ? જેને આત્માનુભૂતિ થઈ છે તે મૌન થાય છે. અસંગ થાય છે.
૧૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org