________________
यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो ! तत्, कामो बली प्राप्य छलं यतीनाम् ।। १४ ।।
મહા પ્રયત્ન ગુણ મેળવેલા, જ્ઞાનાદિથી જીવન કેળવેલા, જો ચિત્તમાં કામ કદી ભળે છે,
તો સદ્દગુણો સૌ ક્ષણમાં બળે છે. ૧૪ સાધકે સંપૂર્ણ જિંદગીને ધ્યાન, તપ, જ્ઞાન અને સત્યમાં ઓતપ્રોત કરી હોય, તોપણ બળવાન કામ સાધકોની સાધનાને ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે.
અધ્યાત્મસારમાં કહ્યું છે કે સાધકે પૂર્ણતા પામતાં સુધી મોહને કામને સદાય માટે તિલાંજલિ આપવાની છે. જેણે મોહને વશ કર્યો છે તે જ સન્માર્ગના અધિકારી છે. '
આનંદઘનજીએ એ જ પ્રકાડ્યું છે કે: મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાને અભ્યાસે, વયરીડું કંઈ એહવું ચિંતે નાંખે અવળે પાસે. હો કુંથુજિન.
અનાદિકાળનો તુચ્છ વાસના અને ઇચ્છાઓથી ઘેરાયેલો જીવ કોઈ પ્રબળ આરાધન વડે ગુણપ્રાપ્તિ કરે, જ્ઞાનાદિ ગુણોની ક્ષયોપશમ
૬૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org