Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
View full book text
________________
પરંતુ જે વિષયોથી આર્ત છે, તેમને પ્રશમનું સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરંતુ પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિ જેને જામી છે, જે મુનિ સ્વરૂપસ્થ થયા છે તેમને હવે આ જગત હીરે મઢેલું હોય તો પણ શું?
મુનિ સર્વથી સર્વ પદાર્થોથી ભિન્ન, કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમય થયા છે તેમને કહો હવે આ વિશ્વ સાથે શું લેવાદેવા છે? તેઓ સદાયે મુક્ત જ છે.
અસંગભાવે પ્રશમરસમાંથી મેળવેલા અનંત આનંદ સ્વરૂપની અનુભૂતિ પછી મુનિને ક્ષણમાત્ર પણ પપ્રસંગ નિરર્થક લાગે છે.
“આપણી પરંપરા ગુરુચરણોના સ્પર્શને મહત્ત્વ આપે છે. એની પાછળનું રહસ્ય છે માત્ર ઊર્જાનું ખરવું. શિષ્ય તેનો ગ્રાહક છે) એ વિકિરણોના સ્પર્શ અને સમાચારી પાલન અગણિત જન્મોની અશુદ્ધિને દૂર કરે છે.
ગુરુદેવના એક એક ગુણને જોઈએ અને હૃદય ભાવવિભોર બને, આંખો છલકાયા કરે.
પરમ શુક્લતા, શ્રેષ્ઠ અંતરંગ નિર્મલતા. ન રાગને સ્થાન છે, ન દ્વેષને, ન અહંકારને.
સાધુની એક મઝાની સાધના છે અપ્રતિબદ્ધતાની. ક્યાંય ભળવાનું નહિ, થોડા દિવસ રહ્યા કે ચાલો. ચાતુર્માસ પૂરું થયું કે ચાલો.
નદીના વહેતા પાણી જેવું સાધુનું જીવન. નદીમાં જ્યાં ખૂણો બન્યો. લીલ-ફૂલ જામી જશે. પાણી સ્વચ્છ નહિ રહે. મુનિના જીવનમાં ક્યાંય ખૂણો ન બની જાય એની કાળજી પૂરેપૂરી લેવાઈ છે. - પૂર્વ સંયોગને છોડ્યા પછી મુનિ ક્યાંય સ્નેહ ન કરે. સ્નેહ ઉત્પન્ન કરનારાં તમામ તત્ત્વો પ્રત્યે અસ્નેહ કરનારો સાધક દોષોના સમૂહથી મુક્ત થાય છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 166 167 168 169 170