________________
यत् कृत्रिमं वैषयिकादि सौख्यं, भ्रमन भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ।। १७ ।।
પરિગ્રહો અને વિષયો થકી જે, કૃત્રિમ ને સ્વલ્ય સુખો મળે છે; તે તો મળે છે જગમાં બધાને, તેમાં અરે ! તું હરખાય શાને? ૧૭
કૃત્રિમ વિષય – સુખોને કયો સંસારી જીવ નથી મેળવતો ? તે સુખોમાં નવીનતા શું છે? નીચી કક્ષાના કે મધ્યમ કક્ષાના લોકો પોતાના ભાગ્ય પ્રમાણે તે મેળવે છે. તમે પણ કંઈ મળ્યું છે તેમાં શાનો હરખાય છે ?
પરિગ્રહ એટલે સાંસારિક સુખોની બાહ્ય સામગ્રીની મૂર્છા. બાહ્ય સામગ્રી સામાન્યપણે નવ પ્રકારની છે. ધન, ધાન્ય, જમીન, ઘર, રૂપું, સુવર્ણ, ઘરની સગવડ જેવાં સાધનો, દાસદાસી, પશુધન.
તે સામગ્રીની મૂછરૂપ પરિગ્રહ ચૌદ પ્રકારનો છે.
સામગ્રી પુણ્યયોગે મળે છે, તેમાં મૂછ થવી તે પરિગ્રહને શાસ્ત્રકારોએ પાંચ મુખ્ય પાપમાં પાંચમું પાપ કહ્યું છે. પાંચે ઇન્દ્રિયનાં વિષયસુખો ભોગવવા જીવો સામગ્રી મેળવે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org