Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 161
________________ यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, દૈવિ સ્થિત મારવિચાર-ઢીનૈઃ ।। રૂપ || ઘણાં બધાં કાર્ય તણા વિચારે, જંપે જરી ના નિજ ચિત્ત જ્યારે; વિચાર શુદ્ધિ નવ હોય ત્યારે, તત્ત્વોપલબ્ધિ નહિ શક્ય ત્યારે. ૩૫ સેંકડો કાર્યોથી આકુળ ચિત્ત ક્યાંય વિશ્રામ પામતું નથી. અને એ રીતે શુભવિચારવિહોણા પુરુષો માટે આ તત્ત્વ દુષ્પ્રાપ્ય છે. Jain Education International માનવસ્વભાવ કેવો છે ? જ્યાં આકુળતા છે, વિશ્રામ નથી તેવા વિષયોના વિકારોમાં જ અટવાય છે. પરંતુ જરા થોભી જાય અને વિચારે કે મારે મારું ભલું કરવું છે. મારે સર્વજ્ઞકથિત તત્ત્વોને જાણવાં જોઈએ, તે વડે સાચા સુખનો નિર્ણય કરવો જોઈએ. ભાઈ ! પૂર્વે અને આજે પણ તું તારી બુદ્ધિને નિરર્થક વાતોમાં પ્રવર્તાવે છે. આત્મહિતનો મૂળ આધાર છે વિચાર શુદ્ધિ, તે દ્વારા તત્ત્વનો નિર્ણય તો કરતો નથી. આત્મહિતનો નિર્ણય કરવા જેટલા મતિશ્રુતજ્ઞાન તો તને પ્રાપ્ત છે, પછી શા માટે નિરર્થક અનર્થદંડ જેવાં કાર્યોમાં સમય વૃથા ગુમાવે છે. પ્રમાદ અને મિથ્યા માન્યતાને ૧૫૪ * હ્રદયપ્રદીપના અજવાળાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170