Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 158
________________ ભૌતિક સુખનાં સાધનોનો ત્યાગ કરી, જંગલમાં મંગળ માની હાડ ગાળ્યાં છે. ટાઢ-તડકો વેક્યાં છે. ક્ષુધા તૃષાને ગૌણ કર્યા છે. રાજ્યાદિ સંપત્તિનો સ્વેચ્છાએ ત્યાગ કરી તપ સંયમ પાળ્યા છે. બે મણની તળાઈ ત્યજી ધરતીને સેજ માણી છે. તેમાં પણ સ્વર્ગના સુખની અપેક્ષા નહિ કેવળ આત્મલક્ષી રહી ઉપાસના કરી છે. પરિણામે મુક્તિ માણવી હતી પણ ભવિતવ્યતાને યોગ એ સ્વર્ગલોકમાં વિશ્રામ મળ્યો હોય તેમ રહે છે. નિત્ય ચાહે છે કે પુનઃ માનવજન્મ પામી આત્મલક્ષ્ય સંયમ પાળી મુક્ત થાઉં. આત્મલક્ષી સાધકની દૃષ્ટિ દરેક પ્રસંગે કે કાર્યો આત્મા પ્રત્યે છે. ખાય, પીએ, હરેફરે, કુટુંબ પ્રતિપાલન કરે તોપણ સંસારના છૂટવાના ભાવવાળો આત્માની મુખ્યતા કરીને રહે છે. ભલે સંસારમાં છે તેથી પરિવારાદિકમાં રાગયુક્ત હોય છતાં તેની મુખ્ય ચાહના આત્મલક્ષી છે. છતાં રોગયુક્ત હોવાથી વીતરાગી મુનિ જેવું સુખ નથી. આત્મલક્ષી સાધક સદાય સદ્ગુરુમુખે નિર્મળ બોધને પ્રાપ્ત કરનારો છે. તેવા સાધકનાં લક્ષણ કહ્યાં છે. ઔદાર્ય, (ઉદારતા) દાક્ષિણ્યતા (કુશળતા) જુગુપ્સા પાપથી ભીરુ) નિર્મળ બોધને પ્રાપ્ત કરનારો અંતે જનપ્રિયતા પામે છે. આ પ્રકારના ઉત્તમ ગુણોથી વાસિત જેનું હૃદય છે તે મુનિપણાને ગ્રહણ કરી આત્મામાં જ રહે છે. હવે તેમનું તન-મન-ધન સઘળું એક જ ધામમાં વસે છે. જ્યાં બાધા રહિત સુખને માણે છે. તેવું સુખ ઈ ચંદ્ર કે ચક્રવર્તીને પણ નથી. ચક્રવર્તીપણે પેદા થયેલા ઉત્તમ જીવો જેમને પુણ્યના પ્રતાપે ચક્રવર્તીપદ મળ્યું છે. જેઓએ નિયાણા રહિત તે પદમેળવ્યું છે તેવા ઉત્તમ કોટિના ચક્રવર્તી પણ તે પદને ત્યજીને મુનિપણાને સ્વીકારે છે. કેમ? તેઓ નિર્મળ બોધયુક્ત હોવાથી જાણે છે કે આ સુખ તો વિજળીના ચમકારા જેવું છે. એટલે અંતમાં સર્વ વૈભવનો ત્યાગ હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170