Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 132
________________ કરવાનાં ઔષધ બહાર ક્યાંય નથી. આત્માની અનાથતાને દૂર કરવા માટે બહારનાં કોઈ સામર્થ્ય કામ આવી શકતાં નથી. પોતાની સનાથતા માટે પોતે જ સાવધાન થવું ઘટે. આત્માનાં અવલંબન તે જ સાચાં સાથી છે. બીજાં અવલંબનો જાદુગરના ખેલ જેવા તમાસાં છે. બીજાં સંગે સુખ નથી. પછી સાધુને અન્ય વ્યક્તિ કે વસ્તુના સંગની શી જરૂર છે? “અનાથી નામના યોગીશ્વર સંસારની અનિત્યતાને અનુભવી ચૂક્યા હતા. શરીરના દાહજ્વરથી વૈદ્યો, માતાપિતા, પત્ની કોઈ બચાવી શકે તેમ ન હતું. તેથી રાજઋદ્ધિ, માતાપિતાનો અપાર સ્નેહ, પત્નીનું પ્રલોભન સર્વ સંગ ત્યજી એકાકી ચાલી નીકળ્યા. જંગલમાં મોજથી આત્મધ્યાનમાં લીન થયા.” – ઉત્તરાધ્યયન મહાનિર્ગથીય. સંગની અસર જીવ પર સચોટ થાય છે. ઋણના અનુબંધો ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે. અને પરસ્પર પ્રેમભાવનાથી અન્યોન્ય પ્રત્યે સાવધ રહેલા સાધકો સામે રહી જીવનના ધ્યેયને પહોંચી વળે છે. સંગત કરો તો એવાની કરો કે જે સત્સંગમાં સહાયક થાય. સાધનામાં સહાયરૂપ બને છે જે બાધક હોય તેવા સંગનો ત્યાગ કરવો. “તમે કોઈના ય સંગમાં નહિ તો પરમના સંગમાં. સંગની સજા બહુ માણી હવે અસંગનો આનંદ માણવો છે. સંગ પરનો છૂટતો જાય તેમ એકત્વનો આનંદ અનુભવાતો જાય. નિશ્ચયદશા એટલે એકતા જ્ઞાન. એક માત્ર આત્માને અનુભવવાનું તે ક્યારે બને? તે માટે પરમાં જવાનું બિલકુલ બંધ થવું જોઈએ. તો જ સ્વમાં જઈ શકાય.” અહીં એકલવાયાપણાનું દુઃખ નથી. સ્વર્ગમાં પણ એકલો જ જાય છે. નરકમાં પણ એકલો જ જાય છે. મોક્ષમાં પણ એકલો જ જાય છે. પછી હવે તને એકલા સ્વમાં રહેવાનો શું વાંધો છે? અહીં તો એકત્વની ખુમારી છે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170