________________
મોહની પકડમાંથી આત્માને છોડાવવાનો કોઈ ઉપાય નથી? મોહમાં આત્માને દુશમનનાં દર્શન થાય તેવું અંજન ઉપલબ્ધ નથી ? હા, છે, મોહની સ્મશાનયાત્રા નીકળીને રહે તેવો એકમાત્ર ઉપાય છે. તત્ત્વનો અવબોધ થયા પછી ત્રમાં સુખ લાગશે ? સંપત્તિમાં સલામતી લાગશે? સત્તામાં શાંતિ લાગશે? અસંભવ !
ધર્મ કહે છે ગમે તેવું દુઃખ હોય તોપણ તે શુદ્ધીકરણની ક્રિયા છે. પ્રસન્નતાથી, સમતાથી જે સહન કરશે, તે શુદ્ધ બનશે, શુદ્ધતા સંપૂર્ણતાની જ દ્યોતક છે. દુઃખની જેમ સુખ પણ સહન કરો. અર્થાત્ ભોગવૃત્તિનો ત્યાગ કરી, સુખમાં પણ સમભાવે
રહેવું.
તે માટે આકાશનો ગુણ ગ્રહણ કરો. આકાશ ગરમીમાં તપતું નથી. ઠંડીમાં થીજતું નથી. વિષ્ટાથી મલિન થતું નથી. સુવાસથી સુવાસિત થતું નથી. નિર્ભેળ અલિપ્ત રહે છે. તેમ સાધક નિર્ભેળ, અલિપ્ત રહે છે. માન હો, અપમાન હો.
પૌદ્ગલિક પદાર્થોની અનુકૂળતાને સુખ માનવાથી તે સુખ એવો ભ્રમ પેદા કરે છે કે સંસાર સુંદર અને સુખરૂપ છે. આને કારણે જીવ સાચા સુખથી દૂર થતો જાય છે. આથી સાંસારિક દુઃખ સમયે સત્ત્વ ગુમાવી દે છે. અને દુઃખમય બની જાય છે. વાસ્તવમાં સંસારનું દુઃખમય પાસું જ સાચા સંસારનું દર્શન કરાવે છે. જો તે દર્શન સારું લાગે તો સંસારના સુખની ભ્રમણા તૂટી જાય અને જીવને સાચો બોધ મળે.
તમે જે ભૂમિકામાં હોવ તે ભૂમિકાએ દુખિયાને સહાય કરો. જ્યાં તમારી સહાય ન પહોંચે ત્યાં તમે વિશ્વના કલ્યાણની ભાવના અવશ્ય કરો. શિવમસ્તુ સર્વજગત.
હૃદયપ્રદીપનાં અજવાળાં - ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org