________________
નિરંતર પલટાતા સંયોગોમાં જીવ સ્થાયી સુખ શોધે છે, અને પૂરી જિંદગી એમાં ગાળે છે છતાં સુખ તો દૂર જ રહે છે. તો પછી સુખ કોને કહેવું?
દુઃખની કે સુખની આ સમસ્યા સામાન્ય માનવી ઉકેલી શક્યો નથી !
સંજીવની જેવાં ઔષધો સેવનારા રોગથી, મૃત્યુથી કે દુખથી મુક્ત ન થયા. રત્નજડિત સિંહાસનોથી શોભતા પણ આયુકર્મ દૂર થયે સ્મશાનભૂમિને રાખથી શોભાવતા ગયા. અગ્નિ જેમ પાણીને શોષી લે છે તેમ ચાર દિવસના ચાંદરણા જેવું સુખ દુઃખથી શોષાઈ જાય છે.
તો શું દુઃખ ક્યારે પણ ટળી શકે તેવું નથી?
હાથમાં રહેલી તુચ્છ વસ્તુ છોડી દે તો તે કોઈ શ્રેષ્ઠ વસ્તુને પામે તેમ ભાઈ ભાવિમાં દુઃખરૂપે પરિણમતા તુચ્છ સુખને ત્યજી દે તો તને આત્મિક સુખ મળે.
સંસારી માને છે કે જેને ભોગનાં સાધન ન હોય તે દુઃખી, મારે તો તેવાં સાધનો છે, વળી સુખી છું તેમ માની તે વધુ મેળવવા ઉદ્યમ કરે છે. વળી તે માને છે કે જેનું શરીર હૃષ્ટપુષ્ટ નથી તે રોગી કે દુઃખી હોય. મારું શરીર હૃષ્ટપુષ્ટ છે મને શું દુઃખ છે ? જેને પુત્ર, પરિવાર, નોકર ન હોય તે દુઃખી, મારે તો એ બધું છે હવે મને દુઃખ શું?
વળી જ્યારે કોઈનું મૃત્યુ, કોઈના રોગ, કોઈના સ્વજનના વિયોગને સાંભળે છે ત્યારે તે પોતાને તેમાંથી બાકાત રાખે છે અને માને છે મને દુઃખ નથી પરંતુ એ જ દેહમાં રોગાદિ થતાં મૂંઝાય છે છતાં જાણતો નથી આ સુખ સ્થાયી હતાં નહિ, છે નહિ અને રહેવાનાં પણ નથી.
પુણ્ય અને પાપરૂપ શુભાશુભ ભાવ લઈને જન્મેલા જીવને
હૃદયપ્રદીપનાં અજવાળાં
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org