________________
એવા મૃત્યુને જાણવા, સમજવા, સ્વસ્થચિત્તે સમાધાન મેળવી સમાધિમરણ પામવું એ માનવનું કર્તવ્ય છે. જન્મ થયા પછી મૃત્યુ નિવારી શકાવાનું નથી પરંતુ મહાત્માઓ એ સમાધિમ૨ણ વડે જન્મને નિવારી શક્યા. નિર્વાણ પામ્યા પુનઃ જન્મ્યા નહિ.
શત્રુંજ્ય તો સરળ છે, મૃત્યુંય કઠિન છે છતાં તત્ત્વજ્ઞાન વડે કે ધર્મમાર્ગે તે સરળ છે. જન્મ પછી મરણ અવશ્ય હોય પણ મરણ પછી જન્મ ન થાય તે પરમાત્માના સ્વરૂપથી સ્પષ્ટ થાય છે.
જન્મ ધારણ કરનારના માથે તે જન્મ્યો ત્યારથી મૃત્યુ તેનો પડછાયો બની સાથે જ રહે છે, તેથી તે કાળ ગર્ભમાંથી કે ગમે ત્યાં ગમે તે પળે પોતાનો પંજો ઉઠાવે છે.
મૃત્યુ નક્કર હકીકત હોવા છતાં માનવ તેની સામે આંખ મીંચામણાં કરતો રહે છે, ત્યારે પણ મૃત્યુ તો કાળ સાથે આગળ જ વધે છે. જન્મ વખતે જીવ ગાઢ મૂર્છામાં હોય છે. તેથી જન્મની પીડા આપણને યાદ જ નથી. તે પ્રમાણે મહદ્અંશે મૃત્યુની પીડા નવા જન્મ વખતે યાદ નથી હોતી.
જીવન શરૂ થાય ત્યારે બાળપણ રમવામાં, યુવાની મદમાં, વૃદ્ધાવસ્થામાં આવે રોગ થાય ત્યારે વળી મૃત્યુનો ભય સતાવે, પરંતુ સાનુકૂળ સંયોગોમાં એ બધું વિસ્મરણ થાય છે. આ એક મોહનિદ્રા છે, મૃત્યુનો બોધ જો આપણને ધર્મપ્રેરિત નહિ કરે તો બીજું કોઈ સાધન મૃત્યુથી બચાવી શકે તેમ નથી.
વળી ક્યાંય સ્વાધ્યાય સત્સંગમાં સાંભળ્યું હોય કે આત્મા શાશ્વત છે અમર છે પરંતુ દૃઢ શ્રદ્ધા કે પ્રતીતિ વગર અંત સમયે એ વાત ટકતી નથી. છતાં જેને બોધ થયો છે કે સંયોગ છે ત્યાં વિયોગ છે, તે સમતાપૂર્વક વેદના અને મરણને સ્વીકારી લે છે. તેને દેહ પ્રત્યેની મમતા નથી તેથી તેને સંતાપ કે ભય પેદા થતો. નથી.
Jain Education International
હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org