________________
मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ।। १० ।।
મોહાલ્પકારે ભમતો રહે છે, સંસાર દુઃખે રડતો રહે છે, વિવેકભાનું યદિ ના ઊગે છે, સ્વરૂપ સાચું નવ સાંપડે છે. ૧૦
સંસારનાં દુઃખોથી પીડિત વ્યક્તિ મોહના અંધકારમાં ત્યાં સુધી ભમે છે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના ઉદય વડે યથાસ્થિતિ આત્મરૂપને તે ન જુએ.
વિવેકભાન ઊગ્યો, દેહ છે વિનાશી, હું છું અવિનાશી, તેનો નાશ કેવો ? કપડાં જૂનાં થયાં, બદલી કાઢ્યાં, એમ શરીર જૂનું થયું, છોડી દીધું.
દેહ હતો ત્યારે મૃત્યુની ભીતિ. હું દેહને પેલે પાર છું, જ્યાં મૃત્યુની પહોંચ નથી.
શરીર સાથેનો મહાપુરુષનો સંબંધ નોકર સાથેનો હોય તેવો રહેતો. નોકર કામ કરે છે, પગાર આપો. કામ નથી કરતો, પગાર બંધ. શરીર સાધનામાં સહાયક, આહાર-ગોચરી પાણી આપો. શરીર
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org