Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
: ૪૩૦ ]
સેલંકી કાલ દેવીનું મંદિર૫૪ તથા મોટબનું તળાવ કાંઠે આવેલું યક્ષરાજનું પ્રાચીન મંદિર, ૫૫ કંઈનું ચંદ્રમૌલિ મંદિર, ૫5 બનાસકાંઠા જિલ્લાના કુંભારિયાનું કુંભેશ્વર મંદિર,૫૭ પંચમહાલ જિલ્લાના બાવકાનું શિવમંદિર,પ૮ જૂનાગઢ જિલ્લાના પિરબંદર નજીકનું મિયાણીનું નીલકંઠ-મંદિર,પ૯ સુરેંદ્રનગર જિલ્લાના બારીમાં તળાવ કાંઠે આવેલ શિવ તથા પ્રાચીન મંદિર, થાનનું મુનિબાવા મંદિર, તથા કચ્છના વરણા ગામનું વરુણ મંદિર આ પ્રકારનાં મંદિર છે. (૩) ચંગી
(૧) આ કાલનાં ઘણાં મંદિર તલમાનમાં ગર્ભગૃહ, ખુલ્લો મંડપ અને શૃંગારકીનાં બનેલાં હોય છે. મંડપ ઘાટમાં રસ હોય છે, પરંતુ એની બંને બાજુએ આવેલા નિગમોને કારણે એ લંબચોરસ ઘાટના લાગે છે. સાબરકાંઠા જિલ્લાના શામળાજીનું હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું મંદિર, ૩ ખેડા જિલ્લાના સરનાલનું ગળતેશ્વરનું મંદિર, ૬૪ મહેસાણા જિલ્લાના સંડેરનું પ્રાચીન મોટું મંદિર, ૫ સૂણુકનું નીલકંઠ મંદિર (૫ટ્ટ ૪, આ. ૨૬), દેલમાલનું લિંબાજી (નિબજા) માતા મંદિર, ૬૭ કડાનું બહુસ્મરણું દેવી મંદિર ૮ મંદ્રપુરનું દધેશ્વર મંદિર, ૯ આસોડાનું જસમલનાથ મંદિર, વાલમનું શ્રીકૃષ્ણ કે રણછોડજી મંદિર,૭૧ ધિણોજનું ખમલાઈ કે વ્યાઘેશ્વરી મંદિર.૭૨ વીરતાનું નીલકંઠ૭૩ તથા ખેરવાનું અંબા માતા મંદિર,૭૪ સૌરાષ્ટ્રના સુરેંદ્રનગર જિલ્લાના સેજકપુરનું નવલખા મંદિર,૭પ રાજકોટ જિલ્લાના આનંદપુરનું અનંતેશ્વર(નવલખા) મંદિર ૭૬ જૂનાગઢ જિલ્લાના પોરબંદર નજીકનું મિયાણીનું હરસદ માતાનું પ્રાચીન મંદિર,૭૭ ગિરનાર પરનો કુમારવિહાર,૭૮ જામનગર જિલ્લાના દ્વારકા નજીકનું બરડિયાનું સાંબ મંદિર,૭૯ તથા કચ્છના કંથકોટનું સૂર્યમંદિર૮૦ અને પુઅર ગઢનું શિવમંદિર આ શ્રેણીનાં મંદિર છે.
(૨) ચંગી પ્રકારનાં કેટલાંક મંદિરમાં ખુલ્લા મંડપના સ્થાને ગૂઢમંડપની રચના પણ લેવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનું બ્રહ્મામંદિર,૮૨ મહેસાણા જિલ્લાના મણંદનું નારાયણ મંદિર,૮૩ જામનગર જિલ્લાના દ્વારકાનું રફમિણી મંદિર૮૪ તથા કચ્છના ખેડ( કેરાકોટ)નું સોમેશ્વર મંદિર" આ પ્રકારનાં છે. () ચતુરંગી
આ કાલનાં ચતુરંગી મંદિરમાં મંદિરના ચાર અંગ-વિભાગોને સમાવેશ થાય છે: (૧) આમાંનાં કેટલાંક મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગારચોકીની રચના જોવામાં આવે છે. કચ્છના કટાયનું પ્રસિદ્ધ શિવમંદિર