Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૭
શિલ્પકૃતિઓ
શિલ્પેશ કે સ્થાપત્યેા પર હંમેશાં અભિલેખે મળતા નથી અને શૈલીના આધારે અ કેલા સમયમાં દસ, વીસ અને પચાસેક વર્ષ સુધીને અંદાજી ફેરફાર હેાઈ શકે છે એટલે અહીં દસમા સૈકાથી માંડીને તેરમા સૈકાના અંત સુધીની શિલ્પ કૃતિએનું સંહાવલોકન આપ્યું છે.
સાલ કીકાલીન શિલ્પકલાના કેટલાક અવશેષ હાલના ગુજરાતની સીમાની બહાર પણ મળે છે. માલવ–વિજય પછી પાછા આવતાં સિદ્ધરાજે રતલામ પાસે એક જીણું વિરૂપાક્ષ શિવમ દિર જોઈ અને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ વિરૂપાક્ષ ( હાલ વિલપાક ) શિવમંદિરમાં આ અંગેના પ્રશસ્તિલેખ પણ મઠ્યા છે. અને એ પ્રશસ્તિ પણ કવિ શ્રીપાલરચિત છે. ઉજ્જનના વાકણકરે હમણાં થે।ડા સમય પર આ પ્રશસ્તિ અને મદિર શોધી કાઢમાં છે. ૧ આ મ ંદિર પર સિદ્ધરાજકાલીન શિલ્પસમૃદ્ધિ છે. જાલેારગઢ( રાજસ્થાન )માં પહાડ ઉપર કુમારપાલે બધાવેલું જૈન મદિર અને ચિતોડગઢમાં બધાવેલું જૈન મંદિર હાલના ગુજરાતની સીમા બહાર રાજસ્થાનમાં છે. આમ સેાલ કીકાલનાં શાના—ગુજરાતની સાલકીકાલીન શિલ્પકલાના—અભ્યાસમાં ગુજરાત, માળવા તેમજ રાજસ્થાનનાં સમકાલીન શિો અને સ્થાપત્યેાના અભ્યાસ કરવા આવશ્યક છે.
સાંસ્કૃતિક દૃષ્ટિએ ભાષા તેમજ કલાનાં ક્ષેત્રોમાં ગુજરાત અને રાજસ્થાનનું તેમજ માળવાના ગુજરાત બાજુના સીમાપ્રદેશનું એક સાંસ્કૃતિક એકમ બન્યું હતું એટલે આ સમયની ભાષા, કલા કે સંસ્કૃતિને, શ્રી ઉમાશંકર જોશીને ગમતા શબ્દોમાં, “મારુ-ગુર” એ નામ આપવુ. યેાગ્ય છે. પ્રખ્યાત શિલ્પીએ, સ્થપતિઓ, ચિત્રકારા, ગાયકા, વાદા કે નૃત્યકારા આ આખાય પ્રદેશમાં ઘૂમતા. શિલ્પકૃતિઓમાં જુદા જુદા નાના પ્રાદેશિક વિભાગેાની રહીશ પ્રજા કે જાતિઓની વેશભૂષા તેમજ શારીરિક બાંધાની છાયા અવસ્ય પડે એટલે એ દૃષ્ટિએ આ કાલનાં શિલ્પેાની પ્રાદેશિક વિશિષ્ટતાઓને કારણે ભવિષ્યમાં ઉપરૌલીઓ(substyles)ના નાના નાના પેટાવિભાગ પાડી શકાય, પણ સામાન્યપણે એક જ સાંસ્કૃતિક ધારા રહેવાથી આ શિલ્પકલાને પણ એક જ પ્રકારની કલાશૈલી તરીકે રજૂ કરી શકાય. વળી લગભગ સાડા ત્રણસેા