Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શિe) • અનુકૃતિક વૃત્તાંત
પિw “જો પૂરે છે
પિતાને પંડિતેની પ્રશંસા અને ગુજરાતની અવિદધતાની નિંદા કરતા ભેજને ગુજરાતના સ્થાનપુરુષે કહ્યું કે “તમારો સારામાં સારો પંડિત પણ અમારી અબળાઓ કે ગોવાળિયાઓની તેલે પણ ન આવી શકે.” ભીમદેવે કેટલીક વિદગ્ધ વારાંગનાઓ તથા ગેપવેશધારી પ્રખર પંડિતેને સરહદ પરના નગરમાં રાખ્યાં. ધારામાં લઈ જવાયેલા એવા એક ગોપ તથા વારાંગનાની વિદગ્ધતાથી ચકિત થયેલ ભેજે જાહેર કર્યું કે “fવે પૂરે રેશે.” માળવાને પંડિત અને ગુજરાતને ગોપ બંને સરખા એવી વૃદ્ધવાણીને સત્ય માનવી પડી.પપ આ
સ્થાનપુરુષનું નામ દામ હતું. એક દારને ડહલ-વિજ્ય
ડાહલ દેશના કણે ભોજના રાજ્યને અર્ધો ભાગ આપવાનું વચન ન પાળતાં ભીમદેવના સાંધિવિગ્રહિક દામેરે બત્રીસ માણસ સાથે એના શિબિરમાં પ્રવેશી એને પકડ્યો. કણે નીલકંઠાદિ દેવતાવસર તથા સમસ્ત રાજ્ય વસ્તુઓ એ બેમાંથી જે જોઈએ તે લઈ લેવા કહ્યું. સેળ પ્રહર આ સ્થિતિ ચાલુ રહી. પછી ભીમદેવના આદેશ અનુસાર દામ દેવતાવસરની પસંદગી કરી લીધી.૫૭ આલૂપા-કેલૂપાનું પરાક્રમ - ભોજ રાજાને દર્શને આવતાં મોડું થતાં ગોત્રદેવી બારણે આવી ત્યારે થોડા માણસ સાથે આવેલા રાજાને જોતાં સંભ્રમથી સ્વસ્થાને સ્થિર થઈ જઈને રાજાને જલદી ચાલ્યા જવા સૂચવ્યું, એટલામાં તો ગુજરાતના સૈન્યથી એ ઘેરાઈ ગયે. ઝડપથી ઘોડો દોડાવી ધારાના ગોપુરમાં પ્રવેશ કરતાં તે અલ્પા અને કેલ્પા નામના બે ગુજરાતી સવારેએ એના ગળામાં ધનુષ ભરાવી દીધું અને “આટલાથી તું મરેલે છે” કહી છેડી મૂક્યો ૫૮ બકુલાદેવી
ભીમદેવ( અર્થાત ભીમદેવ ૧ લા)ના રાજ્યમાં પાટણમાં બકુલાદેવી નામે રૂપગુણમાં પ્રસિદ્ધ વારાંગના હતી. કુલીન સ્ત્રી કરતાં પણ એનામાં અધિક મર્યાદા હતી, એ વિચારી એના ચારિત્ર્યની પરીક્ષા લેવા ભીમદેવે અંતઃપુરવાસના નિમંત્રણરૂપે સવા લાખની કિંમતની રિકા એને મોકલી. પછી બે વર્ષ પર્યત એ માળવાના વિગ્રહમાં રોકાયે એ દરમ્યાન બકુલાદેવી પુરુષસંગ ત્યજી શીલવતી રહી. આ જાણી રાજાએ એને અતઃપુરમાં સ્થાન આપ્યું. એને પુત્ર હરિપાલ, એને ત્રિભુવનપાલ અને એને કુમારપાલ.૫૮