Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૫૪] સોલંકી કાલ
પિરિ કૌતુકી સીલણે મૈત્ય બચાવ્યાં
અજયપાલ કુમારપાલનાં બંધાવેલાં ને નાશ કરતા હતા ત્યારે સીલ કૌતુકીએ સાંઠાનું મકાન બંધાવી ધોળાવ્યું ને ચિત્ર દોરાવ્યાં. રાજાની રજા લઈ છેવટની યાત્રાએ જતાં પુત્રોને મકાનની રક્ષા કરવા સૂચવ્યું. થોડે દૂર ગયે તે મકાનને છોકરાઓએ ભાંગી નાખ્યું. અવાજ સાંભળી પાછા વળી એણે કહ્યું, આ કુનપતિ કરતાં પણ તમે કુપુત્ર પાક્યા ! આણે તો પિતાના મૃત્યુ પછી એનાં ધર્મસ્થાન તેડ્યાં, પણ તમે તે હું સો ડગલાં દૂર જઉં એની રાહ ન જોઈ!” આ સાંભળી શરમાઈ અજયપાલે ચે તેડવાનું બંધ કર્યું. ૮૪
માત્ર તારંગાનાં મંદિર જ રહ્યાં હતાં ત્યારે આભડ વસાહ અને સંધની વિનંતિથી સીલણે યુક્તિ કરી. પેખણામાં રંગભૂમિ ઉપર મંદિર ચણાવ્યું અને એના દીકરાએ એ મોઢે ઓઢી સૂતે ત્યારે આવી તેડી પાડવું.૮૫
બાલ મૂળરાજને સ્વેચ્છવિય
અજયપાલનું ખૂન થયા પછી બે વર્ષ બાલ મૂલરાજે રાજ્ય કર્યું. એની માતા નાઈકિદેવી પરમદી રાજાની પુત્રી હતી. મ્લેચ્છ રાજા ચડી આવેલ ત્યારે બાળક રાજાને તેડીને ગાડરારઘટ્ટ નામના ઘાટમાં લડતાં એણે અકાળે આવી ચડેલ વાદળની મદદથી એ સ્વેચ્છને હરાવ્યો.૬ લવણુપ્રસાદ અને વીરધવલ
ભીમદેવના રાજ્યને ભાર વહનાર લવણપ્રસાદ. એની પત્ની મદનરાણું પિતાની બહેનના અવસાનથી બનેવી દેવરાજ પંકિલના ઘરને વ્યવસ્થિત કરવા નાનકડા પુત્ર વિરધવલ સાથે પતિની રજા લઈને ગઈ. એણે એને ગૃહિણી બનાવી; આથી લવણુપ્રસાદ એને ઘેર જઈ મારવા છુપાયે, પરંતુ દેવરાજને વરધવલ પરને પ્રેમ જોઈએ એ વિચાર પડતું મૂક્યો.
મોટો થતાં વિરધવલે પિતા પાસે ગયા. કેટલીક કાંટાળી ભૂમિ છતી અને બીજી કેટલીક પિતાએ આપી તે પર રાજ્ય કરવા લાગે. બ્રાહ્મણ ચાહડ પ્રધાન બ. વિરધવલને તેજપાલ મંત્રી સાથે મેરી થઈ૮૭
લવણુપ્રસાદે વિરમની માતાને પુત્ર સાથે ત્યજેલી, તેને મેહતાના ત્રિભુવનસિંહ કૌટુંબિકે રાખી. એને મારવા ગયે. પુત્રપ્રેમ જોઈએની સાથે પ્રીતિ થઈ.૮૮