Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૬ ]
સેલંકી કાલ
બાજુએ સમરસ છે, પરંતુ એની દીવાલ પર બહારની બાજુએ ભદ્રાદિનિગમોની રચના એવી રીતે કરી છે કે બહારથી મંદિરના ગર્ભગૃહનું તલમાન અષ્ટાસ્ત્ર કે અષ્ટભદ્રી જણાય. દરેક દિશાએ ભદ્રનિગમને કારણે સમચોરસ મંડપનું તલમાન ક્રોસ-આકારનું બન્યું છે. મંડપના મધ્યમાં ભદ્રકઘાટના આઠ સ્તંભ છે. એના પર મંડપને મધ્ય કોટક ટેકવા હેવાની પ્રતીતિ થાય છે. મંડપની વેદિકા પર એવા જ ઘાટના વામન કદના યુગ્મતંભની રચના છે. આગળની પ્રવેશચોકી સમૂળગી નાશ પામી છે. ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત લિંગ અને જળાધારીને પહોંચવા માટે સોપાનશ્રેણીની રચના છે.૧૯ ગર્ભગૃહની અભિનવ દ્વારશાખા શિલ્પપ્રચુર છે. લલાટબિંબનું શિલ્પ દટાઈ ગયું છે. દ્વારશાખાના તરંગના પદમાં પાંચ નિમિત ગવાક્ષમાં ગીતવાદ્યરત પુરુષોની આકૃતિઓ અને દરેકની બંને બાજુએ નૃત્યાંગનાઓનાં શિલ્પ છે. ઉબરની મધ્યમાં અર્ધવર્તુલમાં ત્રિદલ પુષ્પનાં રેખાંક્ત છે.
મંડપના મિશ્રઘાટના સ્તંભ અલંકારની દૃષ્ટિએ સાદા છે. કુંભી ભદ્રક ઘાટની છે. એના ઉપરને સ્તંભ-દંડ નીચેથી ઉપર જતાં ક્રમશઃ અષ્ટાસ્ત્ર, ષડશાસ્ત્ર, અને વૃત્તાકાર ઘાટનો છે. વૃત્તના ઉપલા છેડે અષ્ટાર્સ પદિકામાં ગ્રાસમુખ કોતરેલાં છે. એના ઉપરની શિરાવટીની મેખલામાં અધોમુખી પલ્લો છે. સિરાવિટીના મુખ્ય અષ્ટાસ્ત્ર ભાગમાં દરેક બાજુએ જુદા જુદા પ્રકારનાં શિલ્પ–હસ્તિમુખ, વ્યાધ્રમુખ, કીચક વગેરે કોતરેલાં છે. એના ઉપરની પડધીમાં ઊર્ધ્વપની પલ્લવપંક્તિ છે. શિરાવટીની ઉપર અષ્ટાસ્ત્ર ઉછાલક છે. એના મથાળે ઊર્ધ્વપત્રની પંક્તિ અને એના ઉપરની ભરણીના નિર્ગમિત છેડાઓની બાજુઓ કીચકેનાં શિલ્પોથી વિભૂષિત કરેલી છે. સૌથી ઉપર વળી ઊર્વપલ્લવોની પંક્તિને થર છે. ૨૧
આ મંદિરનાં પીઠ, મંડેવર અને વેદિકાનો શિલ્પવૈભવ અત્યંત પ્રશંસનીય છે. પીઠભાગમાં નીચેથી ઉપર જતાં જાથેકુંભ, ગ્રાસપદી, ગજથર, નરયર અને હંસથરની રચના છે. એના કુંભાની ભદ્રરથિકામાં ગવાક્ષમંતિ લલિતાસનમાં બેઠેલાં યુગલ શિલ્પ અને એ દરેકના પ્રતિથિ, કોણુ વગેરે ભાગે પરિચારિકાઓ અને મિથુનશિ કતરેલાં છે. એ જ પ્રકારની રચના મંડોવરની જધાના ગવાક્ષમાં જોવામાં આવે છે. ૨૧ મંદિરની ઉપરનો શિખરભાગ ખંડિત થયું છે. મંડપ પરની સંવર્ણાની રચના પાછલા સમયની છે.
ગુજા(તા. વીસનગર, જિ. મહેસાણા) ગામની પૂર્વ સીમમાં આવેલ તળાવને પશ્ચિમ દિશાનો પ્રાંતભાગ પગથિયાં અને ઘાટથી અલંકૃત છે. એને અડીને પથ્થરના બે મજલાના પુલ વડે તળાવ મધ્યના બસ્થળ પર બાંધેલી જગતી પર કઈક મંદિરને