Book Title: Dropadi Swayamvaram Author(s): Jinvijay, Shantiprasad M Pandya Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 5
________________ પ્રાસ્તાવિક જૈન ગ્રંથભ’ડારામાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનાં અનેક મૂલ્યવાન ગ્રંથરત્ને સચવાયાં છે. મુનિશ્રી જિનવિજયજી જેવા સમર્પિત વિદ્વાનોને હાથે એમાંના ઘણા પ્રથાનું શ્રદ્ધેય સ'પાદન થયેલું છે. ઈ. સ. ૧૯૧૮માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી મુનિશ્રી જિનવિજયજીએ, સાલ કીકાળના એક જાણીતા નાટ્યકાર વિજયપાલના દ્રૌપદીસ્વય‘વર' નામના દ્વિઅંકી નાટકનું પ્રકાશન કર્યુ હતુ. નડિયાદ (જિ. ખેડા)માંથી પ્રાપ્ત થયેલી એક હસ્તસ્તને આધારે મુનિશ્રીએ ધણા પરિશ્રમ લઈને આ નાટક સ`પાદિત કર્યુ 'હતું. માત્ર એ આનાની કિંમતે તે સમયે ઉપલબ્ધ કરાયેલા આા નાટકની જુજ પ્રતા જે ચેડાં પુસ્તકાલયામાં અસ્તિત્વ ધરાવે છે એ લગભગ જીણશીણ અવસ્થાએ પહોંચી છે. આથી એના પુનઃ મુદ્રણની આવશ્યકતા ધણા સમયથી વરતાતી હતી. આ નાટકની પ્રસ્તાવના ભાષાંતર અને અભ્યાસનેાંધ સાથેની આ દ્વિતીય આવૃત્તિ પ્રગટ થાય છે. એનુ શ્રેય કલિકાલસÖજ્ઞ હેમચંદ્રાચાય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સકાર શિક્ષણનિધિ, અમદાવાદને ફાળે જાય છે. ૫. પૂ. મુનિશ્રી શિલચંદ્રવિજયજી મહારાજ સાહેબ અને વિ` પ્રા. શ્રી હરિવલ્લભ ભાયાણી સાહેલ્મે મને આ સ ંપાદનને માટે ચેાગ્ય ગણી આ કામ સાંપ્યું તે બદલ એ બંને મહાનુભાવાનેા હું ધ્યપૂર્વક આભાર માનું છું. દ્વિતીય આવૃત્તિના આ પુન: મુદ્રણનું કામ હાથ ધરવા બદલ કલિકાલસર્વાંન શ્રી હેમચંદ્રાચાય` નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સ ંસ્કાર શિક્ષણનિધિ, અમદાવાદના શ્રેષ્ઠીઓને આભાર માનુ છું. પુનઃમુદ્રણની અનુમતિ આપવા બદલ ભાવનગરની શ્રી જૈન—આત્માનંદ સભાના પણ અમે આભારી છીએ. સંસ્કૃતક્ષેત્રે ગુજરાતના સમૃદ્ધ પ્રદાનને થાડો પણ ખ્યાલ આ પ્રકાશનથી વિદ્વાનને પ્રાપ્ત થશે તા આ સંપાદન લેખે લાગ્યુ' ગણાશે. આ સપાદનને ટૂંકા ગાળામાં અને છતાં સમયસર પૂર્ણ કરી આપવા માટે તેજસ પ્રિન્ટસને પણ હું આભારી શ્રું ૧૮, અભિગમ સેાસાયટી, -પાલડી, અમદાવાદ–૭ તા. ૧૭–૧૦–૧૯૯૩ શાન્તિપ્રસાદ પડથા સ’પાદકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90