Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 418
________________ “આભ્યન્તર તપ-૬ : કાયોત્સર્ગ શય્યભવનો દમ : શસ્થંભવ કહે ‘એ બધું હું જાણું છું. પણ તત્ત્વ જુદું છે. એ કહો છો કે નહિ ?' ગોર ગલ્લાં તલ્લાં કરે છે, આડું અવળું કહે છે. એટલે શયંભવે જોયું કે ‘ચમત્કાર વિના નમસ્કાર નહિ,’ તે સીધા તલવાર લઈ આવી ઉગામીને ગોરને તતડાવે છે કે, ‘ગપ્પાં મારો છો ? બોલો બોલો, જલ્દી સાચું તત્ત્વ કહો નહિતર આ તલવારથી તમારૂં ડોકું ધડથી જુદું કરી નાખીશ.’ તત્ત્વ જિનમૂર્તિ : - બસ, ગોરભાઈ ચકચકતી ધારવાળી તલવાર પોતાના પર ઉગામેલી જોઈ ગભરાયા, તે ઝટ બોલી ઊઠ્યા, ‘ઊભા રહો, તત્ત્વ કહું છું. મારા ગુરુ કહી ગયા છે કે મરણાન્ત કષ્ટ આવે તો જ તત્ત્વ કહેવું. તત્ત્વ આ છે કે અહીં આ મુખ્ય યજ્ઞસ્તંભની નીચે તીર્થંકર શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. એના પ્રભાવે અહીંના યજ્ઞનો ચારે બાજુ મહિમા ફેલાય છે !' ૧૭૩ શષ્યભવે આ સાંભળીને તરત તપાસ કરી, સ્તંભને ઊખેડી નખાવી નીચે ધરતીમાં જોતાં એ જ કહ્યા પ્રમાણે શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ જોઈ ! એમને પારાવાર આનંદ સાથે ખેદ થયો કે ‘વાહ ! કેવી પ્રશમ રસભરી પ્રભુની મુદ્રા ! કેવો એનો પ્રભાવ! અરે ! તો અત્યાર સુધી મેં ભૂંસા ફૂટ્યા ? આટલો બધો ખર્ચ કરતાં પણ તત્ત્વને જોયા જાણ્યા વિના જ ખોટા આડંબરમાં રાચ્યો ?’ શુષ્યભવનો તત્ત્વનો ખપ કેવો ? તત્ત્વની જિજ્ઞાસા કેવી ? મુનિના વચન પર શ્રદ્ધા કેવી ? ‘જિંદગીભર જે શાસ્ત્ર જે ધર્મ માન્યો એમાંની મુખ્ય સાધના યજ્ઞમાં. એમાં વળી આ જૈન મુનિઓ એમ કહેવા નીકળી પડ્યા છે કે તત્ત્વની ગતાગમ નથી. તે એના પર શી મદાર બાંધવી હતી ?' એવું લેશ પણ મનમાં નથી આવતું. સહેલું છે આ ? જિંદગીભર પકડેલા ધર્મ, સિદ્ધાન્ત અને રિવાજ પર તો મન મુગ્ધ હોય છે, મુસ્તાક હોય છે. એમાં મન ગળાડૂબ ડૂબેલું હોય છે. એની પકડ શે છૂટે ? એનાથી વિરુદ્ધ એક પણ વાત તરફ કાન પણ શાના મંડાય ? ત્યારે આ શય્યભવ બ્રાહ્મણ એક જ વારનાં મુનિવચન પર ડોલી ઊઠે છે ! એ વેદ, એ યજ્ઞ, એ ગોર, બધું જ તત્ત્વશૂન્ય દેખે છે ! અને હવે તત્ત્વ જાણવા અત્યંત આતુર બની જાય છે. મુખ્ય ગોરને દમ મારીને પણ એની પાસેથી તત્ત્વ કઢાવે છે. તત્ત્વ મળતાં પારાવાર આનંદ અનુભવે છે, ને સાથે અત્યાર સુધી અંધારામાં રહ્યાનો ખેદ અનુભવે છે. તેમજ તત્ત્વમાં છૂપી જિનમૂર્તિ જણાઈ એ પર, યજ્ઞની એક મુખ્ય પવિત્ર વસ્તુ જે સ્તંભરૂપ, એને જ ઊખેડાવી તત્ત્વભૂત જિન પ્રતિમાને બહાર કઢાવે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478