Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 447
________________ (૨૦૨) | ધ્યાન અને જીવન | ‘તહ સહ પટ્ટિયવં જહ જહ રાગદ્દોસા વિલિજ઼તિ” તેવી તેવી પ્રવૃત્તિ કરવી કે જેથી જેથી રાગ-દ્વેષ વિલય પામતા આવે, ઘસાતા આવે. ધર્મપ્રવૃત્તિમાં રાગદ્વેષ? જ્યાં રાગ-દ્વેષને દુબળા પાડવાની રાગ-દ્વેષનો છાસ કરવાની વાત હોય, ત્યાં પછી કોઈપણ ધર્મપ્રવૃત્તિમાં રાગદ્વેષને પોષવાની તો વાતેય શી ? બે પૈસા ધર્મમાર્ગે ખરચો અને એમાં દુન્યવી સુખ-સમૃદ્ધિ-સન્માન લેવાની કામના રાખી તો નર્યું રાગનું પોષણ થયું. એવું કાંઈક તપસ્યા કરીને યા વ્રતનિયમ લઈને ઇચ્છયું તો રાગનું પોષાણ થયું. ‘લ્યો ઉપાશ્રયમાં હું પૈસા આપું, પણ મારાં નામનું બોર્ડ લાગવું જોઈએ, આમ કર્યું તો કીર્તિની કામના થઈ, એમાં રાગ પોષાયો. એમ કોઈની પ્રત્યેની ઈર્ષાથી એના કરતાં હું સારું કરી બતાવું.એવી ભાવના રાખી ધર્મ કર્યો, તો તેમાં દ્વેષનું પોષણ થયું. રીસમાં ચડીને ઉપવાસ કર્યો તો એમાંય એવું. પ્રશસ્ય રાગદ્વેષથી સંસાર-રાગ ઘટે છે : શાસ્ત્ર જે કહે છે કે જીવે ચારિત્ર સુધીની ક્રિયાઓ અનંતી વાર કરી, છતાં એ સંસારમાં ભટકતો રહ્યો, એનું કારણ આ જ કે એ કિયામાં કોઈ ને કોઈ પૌલિક રાગ યા દ્વેષનું જ પોષણ કર્યું. હાં, દેવ-ગુરુ-ઘર્મનો રાગ થાય ને વધે એ તો પ્રશસ્ય છે, આદરણીય છે; કેમકે એવો રાગ વધવાથી પાપ પ્રવૃત્તિ ઘટી ધર્મપ્રવૃત્તિ વધતી જાય છે, અને દેવ-ગુરુ વધુ ગમવાથી સંસારનો રાગ ઘટતો આવે છે. બાકી દુન્યવી ચીજના રાગ દ્વેષ પોષવાથી કર્મબંધન અને સંસાર વધે છે, પછી ભલે ત્યાં દાનાદિ ધર્મપ્રવૃત્તિ થતી હોય. એટલે ધર્મમાં તે તે રીતે પ્રવર્તવું જોઈએ કે જેમ જેમ રાગદ્વેષ ઘટતા આવે. રાગદ્વેષનો હાસ કરવો એ જીવનકર્તવ્ય બની રહે છે. આ વસ્તુ અરિહંતાદિ ચારશરણનો સ્વીકાર, સ્વદુષ્કતગર્તા અને મહાન આત્માઓનાં સુકૃતોની અનુમોદના કરતા રહેવાથી સરળ સુલભ બને છે. રાગદ્વેષની આંધી ચડે ત્યાં તો આ વારંવાર વિશેષ રૂપે કરવું જોઈએ. કૃષ્ણજીની અંતિમ આરાધના : કૃષગજી આ સમજે છે. એટલે મરાણાન્ત ભયંકર વેદનામાં ચતુઃ શરણ સ્વીકાર આદિમાં મન લગાડી દે છે. એ સમજે છે કે જે કાંઈ બન્યું એમાં તો કર્મ અને ભવિતવ્યતાની બળવત્તા કારણભૂત છે. ત્યાં રાગદ્વેષ, હાયવોય, “ઓ મારા ભાઈ !” વગેરે કરવાથી કાંઈ વળે એવું નથી, ને ઉપરથી માથે નવા કર્મસમૂહને ભાર વધી જાય.’ કૃષગજી આ સમજથી ચાર શરણનો સ્વીકાર કરે છે. શ્રી નેમિનાથ ભગવાનનું શરણું લે છે. સુકૃતાનુમોદનમાં જેમણે જેમણે ચારિત્ર લીધાં એમને ધન્યવાદ આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478