Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 463
________________ (૨૧૮) ધ્યાન અને જીવન સમ્યગ્દર્શન આવ્યું હોય, પછી જ વિરતિભાવ આવે. કારણ, પહેલું જ્ઞાન, પછી કિયા. પાપનો સાચો ત્યાગ પાપની હેય યાને ત્યાજ્ય તરીકેની શ્રદ્ધા ઉપર જ આવી શકે, અને પાપની સાચી ઓળખ તો વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જ આપેલી છે. એટલે એમનાં વચનને જ અનુસારે પાપની ખરેખરી ઓળખ થાય, તથા એની હેય તરીકેની શ્રદ્ધા થાય. આમાં સર્વજ્ઞના વચનનું આલંબન લેવું પડે, એટલે એ વચન ઉપર શ્રદ્ધા કે જે સમ્યગ્દર્શન કહેવાય છે, તે હોવી જ જોઈએ. મિથ્યાદષ્ટિ આત્માને આ સમ્યગ્દર્શન હોય નહિ, એટલે એનો પાપત્યાગ એ શ્રદ્ધાના પાયા પરની વિરતિરુપ ન ગણાય. એટલા જ માટે, અભવી-દુર્ભવી આત્માઓ ચારિત્ર લે છે, મહાવ્રતો ઉચ્ચરે છે, છતાં એમનામાં વિરતિભાવ યાને ૬ ઠું ગુણસ્થાનક નથી હોતું. અરે ! પાંચમું ય નહિ, ને ચોથું ય નહિ, પરંતુ એ તો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જ હોય છે. પ્ર૦ - આટલા ઊંચા એક મહાવ્રત એટલે હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ છતાં વિરતિભાવ નહિ ? ઉ0 - ના, નહિ, કારણ છે. (૧) એણે મહાવ્રત ઉચ્ચર્યા છે એ સર્વજ્ઞવચનની શ્રદ્ધા પૂર્વક નથી ઉચ્ચર્યા. કદાચ શ્રદ્ધા કરી તો એટલી જ કે “આ મહાવ્રતો (હિંસાદિ પાપની વિરતિ) થી દિવ્ય સુખ મળે ! પરંતુ બાકીના જિનવચનોની શ્રદ્ધા, દા.ત. આ મહાવ્રતોથી મોક્ષ મળે એવી શ્રદ્ધા નથી કરી, અને શ્રદ્ધા ખરેખર તો સમસ્ત જિનવચન પર હોવી જોઈએ, તો જ એ સમ્યગ્દર્શનરૂપ બને. ત્યારે અભવી જેવાને મોક્ષની રુચિ પાલવતી નથી. એટલું ગાઢ મિથ્યાત્વ હોય અને ગાઢ વિષયરાગ હોય ત્યાં કામચલાઉ આ જીવન પૂરતા કરાતા પાપત્યાગમાં ખરેખર વિરતિભાવ કયાં આવે? જૈન શાત્રો સંપૂર્ણ વિરતિભાવનું સ્વરૂપ બતાવતાં આ કહે છે કે રાગાદિ કષાયો ચાર કક્ષાના હોય (૧) અતિ ઉગ્ર (૨) ઉગ્ર (૩) મધ્યમ, અને (૪) મંદ. એમાંથી પહેલી ત્રણ કક્ષાના રાગાદિને દબાવ્યા હોય, એનો અનુભવ બંધ કર્યો હોય ત્યારે વિરતિભાવ આવે. ત્યારે જ્યાં હજી ચારે કક્ષાઓના રાગાદિનો અનુભવ ચાલુ છે એ આમ ગમે તેટલા મહાવ્રત લે, પણ એનામાં વિરતિભાવ કયાંથી આવે અર્થાતુ ન જ આવે એ સમજાય એવું છે. મિથ્યાત્વની હયાતીમાં ચારે ય કક્ષાના રાગાદિનો અનુભવ ચાલુ હોય છે. એમાંથી અતિ ઉગ્રકક્ષાના રાગાદિનો અનુભવ દબાવે એટલે મિથ્યાત્વ ટળે અને સમ્યકત્વ સમ્યગ્દર્શન પ્રગટ થાય. ગે શું સમ્યગ્દર્શન કર્યું? આ, કે હિંસા-પરિગ્રહાદિ પાપો આત્માને માટે ખતરનાક છે. ત્યાજય છે એવી બુદ્ધિ એવું દર્શન ઊભુ કર્યું. હિંસાદિ પાપમાં ત્યાજ્યતાનું દર્શન એ સમ્યગુદર્શન અહિંસાદિ ધર્મમાં ઉપાદેયતાકર્તવ્યતા-આદરણીયતાનું દર્શન એ સમ્યગુદર્શન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478