Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 465
________________ (૨૨) | ધ્યાન અને જીવન આકર્ષણ, અનિષ્ટ વિયોગની ચિન્તા ને કોઈ વેરના અંગે મનની વ્યાકુલતા રહેવાની. પ્રમાદ એની સાથે સંકળાયેલા છે. બસ, આ હિસાબે પ્રમાદ રહિત યાને અપ્રમત્ત અવસ્થા હોય ત્યારે આર્તધ્યાનથી છૂટકારો મળે. એટલે કહ્યું કે - “અપ્રમત્ત મુનિ કે જે સાતમે અને ઉપરના ગુણઠાણે હોય છે એમને આર્તધ્યાન ન હોય,’ આ જોતાં સમજાય એવું છે કે આર્તધ્યાનની કેટલી બધી સૂક્ષ્મતા છે કે મિથ્યાત્વ, અવિરતિવાળાને તો શું, કિન્તુ સહેજ પણ પ્રમાદવાળા મુનિને ય એ આર્તધ્યાન લાગતાં વાર નહિ! આખો સંસાર છોડયો, સર્વવિરતિધર મુનિ થયા, તો પણ નિયમ નહિ કે આર્તધ્યાન ન જ આવે. માટે કહ્યું છે કે ‘આર્તધ્યાન એ સર્વ પ્રમાદનું મૂળ હોઈ યતિજને એનો ત્યાગ કરવો જોઈએ,” જો આર્તધ્યાને વર્તે છે પ્રમાદ આવતાં વાર નહિ. સ્વરૂપથી આર્તધ્યાન સમસ્ત પ્રમાદનું કારણ છે. માટે સાધુ અને શ્રાવક બંનેએ એમાંથી દૂર રહેવું જરૂરી છે.. પ્ર ૦ - પહેલાં જે એમ કહ્યું કે 'પ્રમાદવાળાને આર્તધ્યાન થાય,’ એનો અર્થ એ કે પ્રમાદ એ કારણ, અને આર્તધ્યાન તેનું કાર્ય થયું. હવે અહીં આર્તધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ યાને કારણ કહો છો એ કેમ ઘટે ? ઉ૦- વાત સાવ સાચી છે કે અંતરમાં રાગાદિ હોય તેથી આર્તધ્યાન ઉઠે છે, એમ રાગાદિ પ્રમાદ કારણ, અને આર્તધ્યાન એ કાર્ય થયું. પરંતુ જીવને મન મળ્યું છે તેથી એને મનથી કાંઈ ને કાંઈ લોચા વાળવા જોઈએ છે. એમાં કોઈ ઈષ્ટનો સંયોગ મળો.' યા વિયોગ ન થાઓ’ અથવા ‘અનિષ્ટનો વિયોગ થાઓ' યા 'સંયોગ ન થાઓ કે “હાય ! વેની બહુ પીડે છે, શાંત થાય એવું કોઈ ને કોઈ આર્તધ્યાન ચાલ્યા જ કરે છે. પછી એની ચિંતા ને સળવળાટ પાછળ જીવ થોડો જ જપ્યો રહે ? એ આર્તધ્યાનના જેસ ને પ્રવાહને લીધે વિષય-કષાયની ત્રિવિધ પ્રવૃત્તિ વાણી-વિચારવર્તાવરૂપ ચાલ્યા વિના રહેતી નથી. એમ મઘાદિ વ્યસન, નિદ્રા નિંદા-કથળી વગેરે સુલભ બને છે. વળી ક્રિયાના ખેદ-ઉદ્વેગ વગેરે દોષ સેવાતા રહે છે, આ બધો પ્રમાદ જ છે. એ કાર્ય થયું, ને એનું મૂલ યાને કારણ છે આર્તધ્યાન. આર્તધ્યાનથી હૃદય બગાડાય છે, તેથી પ્રમાદસેવન ચાલે છે. આમ આર્તધ્યાન ભલે ઉઠે રાગ-દ્વેષ મોહમાંથી; એટલે ત્યાં રાગાદિ પ્રમાદ એ કારણ, અને આર્તધ્યાન કાર્ય થયું. કિન્તુ આર્તધ્યાન વારંવાર ચાલે એટલે સહજ છે કે એથી એ બધી પ્રમાદ-પ્રવૃત્તિ રહ્યા જ કરવાની. આ હિસાબે અહીં આર્તધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ કહી એને વર્જવાનું કહ્યું. આર્તધ્યાન બંધ કરી ધર્મધ્યાન ચલાવાય તો હૃદય પવિત્ર રહેવાથી પ્રમાદ સેવન અટકી જાય. આટલી આર્તધ્યાનની વિચારણા થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478