Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 458
________________ આર્તધ્યાનના બીજા લક્ષ્ણો ચૂકવા નિરુત્સાહ, ધર્મ પર અનાદર, સ્મૃતિ ભ્રંશ, ભ્રમણા, સંશય, એ પણ કર્તવ્યથી રૂપ હોઈ કે કર્તવ્યથી ચૂકાવનારા હોઈ પ્રમાદ રૂપ છે. એમ, જીવન જરૂરીયાત સિવાય દુન્યવી વધુ પડતી પ્રવૃત્તિ, મોજ શોખની પ્રવૃત્તિ, કે વધુ પડતા રાગ-દ્વેષ એ પણ પ્રમાદ છે. ‘પ્રમાદપરતા’ એટલે કે પ્રમાદમાં જઈ જઈને પડવું, એ આર્તધ્યાનને સુલભ કરી આપે છે. શાસ્ત્ર સિક્કો મારે છે કે પ્રમાદમાં તત્પર જીવ આર્તધ્યાનમાં વર્તતો હોય છે. કેમકે પ્રમાદસેવનની પાછળ કોઈ ઈષ્ટ યા અનિષ્ટના સંયોગ વિયોગ અંગેની અર્તિપીડા બેઠી હોય છે. નંદ મણિયારને ઉપવાસના રાતના તરસ લાગી તો એની ગ્લાનિમાં અને પાણીના રાગમાં પડયો, ને આર્તધ્યાનમાં ચડયો વાવડી બનાવવા ધાર્યું, બનાવી, અને મરીને એમાં દેડકા તરીકે જનમ્યો. “અદ્વેણ તિરિય ગઈ”, આર્તધ્યાનથી તિર્યંચ ગતિ થાય એ હિસાબ લાગ્યો. ૨૧૩ ત્રિલોકનાથ વીસમા તીર્થંકરદેવ શ્રી મુનિસુવ્રત સ્વામીએ જે ઘોડાને પ્રતિબોધ કર્યો તે પૂર્વ ભવમાં સાગરચંદ્ર નામે શેઠ હતો, ને એણે ધર્મભાવનાથી જિનમૂર્તિ ભરાવી એની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવેલી. એટલે એ ધર્મ-પરામુખ તો કહેવાય નહિ. તેમજ બહુ વિષયાસકત તરીકે એનું શાસ્ત્રમાં વર્ણન નથી આવતું. તો પછી એણે તિર્યંચગતિ કેમ સાધી ? કહો પ્રમાદપરતાને લીધે. એ વેપાર-રોજગાર અને માલની લે-વેચ વગેરે પ્રમાદમાં એવો લીન રહેતો કે મન આર્તધ્યાનથી પકાયેલું રહેતું, અને ‘àણ તિરિયગઈ’ એ સૂત્રના અનુસારે તિર્યંચગતિનાં પાપ બાંધે એમાં નવાઈ નથી. પછી પરભવે ઘોડો થાય એ સહજ છે. આજે ય એવા માણસો છે કે જેને પૈસાની ય બહુ પડી નથી હોતી, કેમકે પાસે પૈસા પૂરતા છે, છતાં એમને વેપાર ધંધાનો બહુ રસ હોય છે. આમ પાછા ધર્મહીન ન હોય, સમયે સમયે ધર્મ કરી લેતા હોય, છતાં પણ વેપારની લીનતા રૂપી પ્રમાદ એમને આર્તધ્યાન સુલભ કરી આપે છે. એમ વેપારમગ્ન નહિ, પણ વાતોચીતો હરવું ફરવું, યા મનમાન્યા ભૌતિક પરોપકારના નામે દોડધામ કરવી, વગેરેમાં પ્રવર્તતા ઘણા દેખાય છે. આવા પ્રમાદતત્પર જીવોને અનુભવ છે કે પોતાને એવી વિષયવૃદ્ધિ નહિ, તેમજ ધર્મ સન્મુખતા છે, છતાં ધર્મપ્રવૃત્તિમાં ય મન સ્થિર નથી રહેતું. બીજા ત્રીજા વિચારો ય બહુ આવે છે, ને જરૂર લાગે ત્યાં ક્રોધ અભિમાન વગેરે પણ સતેજ રહે છે. પ્રમાદલીનતાના યોગે મોટા ચૌદ પૂર્વી મહામુનિઓ પણ ચૂકયા અને નિગોદ એકેન્દ્રિયપાણામાં સિધાવ્યાનું શાસ્ત્ર કહે છે. એ તિર્યંચગતિ છે, ને એ આર્તધ્યાન વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478