Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
જ તેગા કાપિ (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માન આપવામાં થાણુ ઉપયોગી થઈ શકે.”
તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું ચહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તાવ જાળવી આગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે.
આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જેનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી.
અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વેરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શક્ત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પુ. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધ વગેરેએ પણ રણુ આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ.
સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોને અભ્યાસ કરી સ્વાપર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે.
તા. ૨૪-૪-કર સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com