________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૧૭૩
નથી. નીતિધર્મનાં ભાષણો કરનારાઓમાં પણ પ્રાયઃ નીતિધર્મ સર્વત્ર કથની પ્રમાણે હોઈ શકતા નથી. અજ્ઞાન જનામાં સર્વત્ર નીતિધર્મ હાઈ શકતો નથી. ધર્મના નામે ટીલા ટપકાં કરનારા મનુષ્યોમાં પણ સર્વથા સર્વત્ર નીતિના આચારે દેખી શકાતા નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પેરિગ્રહ મમતાત્યાગરૂપ યમને નિતિક ધર્મ કહેવામાં આવે છે. યમ વા નૈતિક ધર્મથી ભ્રષ્ટ થએલી દુનિયા પિતાના હાથે નરક રચે છે. અને દુ:ખોને પિતાના હાથે આમન્ત્રણ કરે છે. ઉચ્ચ તાત્વિક જ્ઞાન અને સત્સમાગમ વિના ગના પ્રથમ નતિક શ્રમના પગથીએ પૂર્ણ ચડ્યા વિના સમાધિની આશા રાખવી એ આકાશકુસુમવત અસત છે. નિતિજ્યમના સિદ્ધાં. તેને અંગીકાર કર્યા વગર દુનિયાની પ્રજા તથા રાજાઓને શાંતિ મળવાની નથી. માથું મુંડાવીને સાધુ થએલાઓમાં તથા ધર્માચાર્યોમાં નૈતિક ગુણો વિના પ્રભુત્વ પ્રાપ્ત થવાનું નથી. અનીતિથી પ્રાપ્ત થએલું પ્રભુત્વ પૂર્ણિમાના ચંદ્રની પેઠે સદાકાલ ટકી શકતું નથી. આખી દુનિયાના બાળકોને બાલ્યાવસ્થાથી જ નેતિક સદાચરણસંપન્ન શિક્ષકો પાસેથી નૈતિક શિક્ષણ આપવું જોઈએ. નૈતિક સદાચાર વિના ઉત્તમ મનુષ્મકટિમાં ગણના થતી નથી. જિનેશ્વર ભગવાનને સેવનારી જીનકેમમાં નૈતિક ગુણોની વૃદ્ધિ થાય તો તે અન્ય કામ ઉપર પિતાના સગુણોની સારી અસર થઈ શકે.
સંવત ૧૯૬૮ પોષ સુદિ ૪ રવિવાર તા. ર૪-૧૨-૧૧
વાનગામ. વાનગામથી પૂર્વ દિશા તરફ પન્નર માઈલ જઈએ એટલે આસેરીનો પર્વત આવે છે. તેના ઉપર આશરે સવાસો હાથ પાણીથી ભરપૂર હૈજા છે. બે હાથથી તે છ હાથ સુધીના હેજે છે, તે હેજે બસે હાથ ઉંડા છે. તે ઠેકાણે પહેલાં કિંવદનતી પ્રમાણે કોઈ કોળી રાજા રહેતો હતો. ફિરંગીના વખતમાં જતો રહ્યો હતો. તેનું ધન તેણે એક હેજમાં ફીરંગીના ભયથી નાંખ્યું એમ લોકે વાત કરે છે. તે ડુંગર ઉપર જંગલી કેળાને રાનકેળ કહે છે. મરાઠી ભાષામાં ચવાનામની કેળ કહે છે. તેની નીચે કંદ હોય છે. તે કંદ સાધારણુ મીઠો હોય છે. કૃષિ તેને વાપરે છે. આસેરીના ડુંગર
For Private And Personal Use Only