Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 973
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ પત્ર સદુપદેશ. મુપેથાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી મહેસાણું. તત્ર, વૈરાગ્યાદિ ગુણાલંકૃત. મુનિ. છતસાગરજી વેગ અનુવંદતા વિશેષ. પત્ર વાંચી સમાચાર જાણ્યા. શારીરિક તબીયત જાળવવી. દેહમાં રહ્યા છતાં દેહરૂપ પુણલક્ષેત્રથી સ્વાત્માને ભિન્ન માન. સર્વ પ્રકારની નામરૂપાદિની આસક્તિ વિના વ્યાખ્યાનાદિ કાર્યો કરવાં. નામરૂપને મોહ જાગ્રત થાય નહીં અને કામ્યભાવ વિના કર્તવ્યો કરવાં એજ સન્યાસીનો અર્થાત ત્યાગીને કર્મયોગ છે. જૈન પાઠશાલાદિના સ્થાપનમાં પ્રવૃત્તિ ન ત્યાગવી. પરંતુ આસક્તિ ત્યાગવી. ધમ્ય પ્રવૃત્તિ વિના આત્મજીવનને વિકાસ થતો નથી, અને ત્યાગીને વેગ પરિપકવ થતો નથી એમ ખાસ લક્ષ્યમાં રાખવું. શ્રી રંગસાગરજી અને ભક્તિસાગરજી વગેરે મળી ચાતુર્માસમાં ધર્મ ગોષ્ઠીમાં જીવન ગાળશે. જેની અને જૈનધર્મની પ્રગતિના જે જે ઉપાય જણાય તેને નિર્ભયપણે સચોટ ઉપદેશ દેવો. ધાર્મિક જ્ઞાનના પ્રચાર માટે જે થાય તે કરવું, અને વ્યાવહારિક કેળવણીની સાથે ધાર્મિક કેળવણું મળે એવા પ્રયત્ન જારી રાખવા ઉપદેશ દેવો. જીનકેમ વ્યાપારી છે. લક્ષ્મી પુત્રોમાં પ્રાય:અજ્ઞતા રહે છે તેઓને સત્ય માર્ગો દર્શાવવામાં ખામી રાખવી નહીં. જેની લક્ષ્મીને સદુપયોગ થાય તેમ ઉપદેશ દેવસ્વાધ્યાયમાં ધ્યાનમાં અપ્રમત્ત રહેવું. આગનું, ગ્રન્થોનું વાચન મનન કરવું. શરીર બળને ક્ષય ન થાય તેવી રીતે દરેક પ્રવૃત્તિ કરવી. સારાંશ કે શરીર નરમ ન થાય તેવી રીતે પ્રવૃત્તિ કરવી. શ્રી રંગસાગરજીનું મન આનંદમાં રહે તેમ સમય થઈ પ્રવર્તવું કે જેથી ભવિષ્યમાં ધમ્મપ્રવૃત્તિમાં તેઓ સહાયકારી બને. ધમસાધન કરશો. ધર્મકાર્ય લખશે. ૐ ૩ મ. રાત્તિઃ ૨ સં. ૧૯૭૧ શ્રા. સુદિ ૧ મુકામ પેથાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી મેહસાણું. તત્ર. વૈરાગ્યાદિ ગુણાલંકૃત. મુનિ શ્રી રંગસાગરજી. શ્રી હિસાગરજી. છતસાગર. ભક્તિસાગર યોગ્ય અનુવન્દના સુખશાતા. વિશેષ તમારે ધાર્મિક પત્ર મળે. વાંચી સમાચાર જાણ્યા. પરસ્પર એક બીજાના આશયોને અપેક્ષાએ મેળવી ઘર્મ પ્રવૃત્તિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 971 972 973 974 975 976 977 978