Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 348
________________ ભાજસ્થાન ઓગણીશમ્ જે માનવભવની પ્રાપ્તિ થાય છે. તેમાં ય તેના પ્રબળ પુણ્યોદયે અને ભવિતવ્યતાના પરિપાકે-આદેશ, ઉત્તમ કુળ, પંચે ન્દ્રિયજાતિ, દીર્ઘ આયુ, નિરોગી શરીર વિગેરે ઉત્તમ અને ઉમદા સામગ્રી પ્રાપ્ત કરે છે. આટઆટલી ભવ્ય સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ માનવતા મળવી એ અતિ દુર્લભ છે અને માનવતા પામ્યા પછી પણુ સદ્દગુરુના વેગમાં શાસ્ત્રનું શ્રવણ એ વળી અતિદુર્લભ છે. પુણ્યાગે શાસ્ત્રશ્રવણને સુયોગ પણ સાંપડે છતાં તેમાં શ્રદ્ધા થવી એ તે અત્યંત દુર્લભ છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે“ના પરમ કુદ્રા” શ્રદ્ધા પરમ દુર્લભ છે અને કદાચ શ્રદ્ધા થાય તે એને જીવનમાં ઉતારવું એ તે અત્યંત કઠીન છે. તાણાવાણાની જેમ સોધને જીવનમાં ઉતાર, અમલમાં મૂકવે અને તેનું આચરણ કરવું એ કંઈ નાનીસૂની વાત નથી, માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે चत्तारि परमंगाणि दुल्लहाणि य जंतुणो । माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥ પુણ્યગ-ઉત્તરોત્તર આવી સુંદર અને સભર સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ આત્મા આળસ અને પ્રમાદમાં પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે અને દેવદુર્લભ આ માનવદેહને એળે ગુમાવે છે, હારી જાય છે અને વેડફી નાંખે છે માટે જ જ્ઞાનીઓ मजं विसय कसाया निदा विगहा य पंचभी भणिया । एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386