Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫] તે વખતે સાત માળના મહેલમાં અંજની પોતાની સખીઓ સાથે બેઠી હતી, તેમાં વસંતમાલા નામની મહાબુદ્ધિમતી સખી અંજનીને કહેવા લાગી કે હું સખી! તું ધન્ય છે કે તારા પિતાએ તને પવનકુમારને દીધી. પવનકુમાર મહાપ્રતાપી છે. એ સાંભળીને પવનકુમારને પણ આનંદ થયો. ત્યાં તો મિશ્રકેશી નામની બીજી સખી માથું ધૂણાવીને કહેવા લાગી કે “અરે, તારું મહા અજ્ઞાન છે કે તું પવનંજય સાથેનો સંબંધ વખાણે છે ! જો વિધુપ્રભ સાથે સંબંધ થયો હોત તો તે શ્રેષ્ઠ હતો. હે વસંતમાલા! વિધુપ્રભ અને પવનંજયમાં તો સમુદ્ર અને ખાબોચીયા જેટલો ભેદ છે; પહેલાં તો બધાનો વિચાર વિધુત્વને જ આ કન્યા દેવાનો હતો, પણ ત્યાં કન્યાના પિતાએ સાંભળ્યું કે તે થોડા જ વખતમાં મુનિ થઈ જશે! તેથી તેની સાથે સંબંધ ન કર્યો. પણ એ ઠીક ન કર્યું. વિધુપ્રભ જેવાનો સંયોગ તો એક ક્ષણ પણ ભલો, અને બીજા ક્ષુદ્રપુરુષનો સંયોગ ઘણોકાળ રહે તોપણ શું કામનો ?' તેની આ વાત સાંભળતાં પવનંજય એકદમ ક્રોધિત થઇ ગયો..અને “આ અંજનીને મારા ઉપર સ્નેહું નથી પણ વિધુપ્રભ ઉપર સ્નેહ છે; તેને મારી નિંદા સુહાવે છે, તેથી આ દાસી આવા નિંધવચન કહે છે છતાં તે સાંભળે છે”આમ વિચારીને તેને શિક્ષા કરવા તલવાર કાઢી. પણ તરત પ્રહસ્ત મિત્રે તેને અયોગ્ય કાર્ય કરતાં રોકયો, અને કહ્યું કે આપણે જેમ ગુસપણે આવ્યા છીએ તેમ ગુપ્તપણે ચાલ્યા જઇએ. આથી પવનંજયકુમાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79