Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [૯] રહિત બેસી રહે; મનમાં પતિનું રૂપ ચિંતવીને બહારમાં પણ તેના દર્શન કરવા ચાહે, પણ દર્શન ન થાય એટલે શોકથી બેસી રહે. ચિત્રપટમાં પતિનું ચિત્ર આલેખવાનો ઉધમ કરે પણ હાથ ધૃજે અને કલમ પડી જાય. સમસ્ત અંગ દુર્બળ થઈ ગયા છે, આભૂષણ ઢીલા પડી ગયા છે, દીર્ઘ નિસાસાથી વદન કરમાઈ ગયું છે, શરીરના વસ્ત્રાભૂષણ પણ ભારરૂપ લાગે છે, પોતાના અશુભકર્મને નિંદતી વારંવાર માતા-પિતાને યાદ કરે છે. હૃદય શૂન્ય થઇ ગયું છે, દુઃખથી શરીર ક્ષીણ થઈ ગયું છે ને વારંવાર મૂર્છા આવી જાય છે, ચેષ્ટારહિત થઈ જાય છે, રોઈ રોઈને કંઠ રૂંધાઈ ગયો છે, દુઃખથી વચન નીકળે છે; વિહળ થઇને પૂર્વોપાર્જિત દૈવનો ઓરતો કરે છે, ચંદ્રમાના કિરણો પણ દાહરૂપ લાગે છે, મહેલમાં ચાલતાં ચાલતાં મૂછ ખાઈને પડી જાય છે; વિકલ્પની મારી એવા વિચાર કરીને મનમાં ને મનમાં જ પતિને કહે છે કે હે નાથ ! મારા હૃદયમાં આપ નિરંતર બિરાજો છો, છતાં મને કેમ આતાપ કરો છો? મેં આપનો કાંઈ અપરાધ કર્યો નથી; વિના કારણે મારા ઉપર કોપ કાં કરો ! હવે પ્રસન્ન થાઓ. હું આપની ભક્ત છું. મારા ચિત્તના વિષાદને હેરો. જેમ અંદરમાં દર્શન આપો છો તેમ બહારમાં પણ આપો, હું આપને હાથ જોડીને વિનતિ કરું છું. આપની કૃપા વિના મારી શોભા નથી-એ પ્રમાણે ચિત્તમાં રહેલા પોતાના પતિને વારંવાર આજીજી કરે છે, અને આંખમાંથી મોતીના દાણા જેવા આંસુ ખરે છે. સખીજનો અનેક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79