Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 50
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૩] સખીઓ સુગંધી દ્રવ્યોથી ભક્તિપૂર્વક પૂજા કરે છે. વસંતમાળા અનેક પ્રકારના વિનોદ વડે અંજનીને પ્રસન્ન રાખે છે. બન્નેના ચિત્તમાં એક જ ચિંતા છે કે પ્રસૂતિ સુખપૂર્વક થઈ જાય. - સાંજ પડી. સંધ્યાનો રાતો રંગ એવો છવાઈ ગયોજાણે કે હમણાં ક્રોધે ભરેલો સિંહ આવશે! થોડી વારમાં, જાણે કે હોનહાર ઉપસર્ગને સૂચવતી હોય-એમ અંધકાર ભરેલી રાત આવી પહોંચી. ભયના માર્યા પશુ-પંખી ચૂપ થઈ ગયા. ક્યારેક ક્યારેક શિયાળીયાની એવી ભયાનક ચીસો થીત-કે જાણે આવી રહેલા ઉપસર્ગના ઢોલ વાગતા હોય ! આવી અંધારી રાતે અંજની અને તેની સખી વાતચીત કરતાં ગૂફામાં બેઠા છે. ત્યાં તો ગૂફાના બારણે ભયંકર ગર્જના કરતો એક સિંહ આવ્યો. તેની ગર્જનાથી આખી ગૂફા એવી તો ગાજી ઊઠી... જાણે કે ભયને લીધે પર્વત જ રોવા માંડ્યો હોય. સિંહનો અવાજ સાંભળીને અંજનીએ એવી પ્રતિજ્ઞા કરી કે જો આ ઉપસર્ગથી મારું શરીર છૂટી જાય તો મારે અનશન-વ્રત છે, ઉપસર્ગ ટળે તો ભોજન લેવું સખી વસંતમાલા અંજનીની રક્ષા માટે એકદમ વ્યાકુળ થઈને, હાથમાં તલવાર લઇને પંખીની જેમ આમતેમ ભમે છે, ઘડીકમાં આકાશમાં જાય છે ને ઘડીકમાં જમીન ઉપર આવે છે.-એ પ્રમાણે બન્ને સખીઓ ભયથી કંપાયમાન થઈ ગઈ. ત્યારે, તે ગૂફામાં રહેતા મણિચૂલ નામના ગંધર્વદેવની રત્નચૂલા નામની સ્ત્રીને અત્યંત દયા આવી અને તે કહેવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79