Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 52
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૪૫] આ તરફ ગંધર્વદવ કે જેણે અષ્ટાપદનું રૂપ ધારણ કર્યું હતું તેણે પંજાની ઝપટ વડે સિંહને ભગાડી મૂકયો; સિંહ ભાગી જતાં તે દેવ પણ પોતાના સ્થાને ચાલ્યો ગયો. –એ રીતે સિંહ અને અષ્ટાપદ બન્ને ક્ષણમાત્રમાં અલોપ થઈ ગયા. સિંહ અને અષ્ટાપદના યુદ્ધનું આ સ્વપસમાન વિચિત્ર ચારિત્ર દેખીને વસંતમાલાને આશ્ચર્ય થયું, અને ઉપસર્ગ દૂર થયો જાણીને તે ગૂફામાં અંજનીસુંદરી પાસે આવી અને અત્યંત કોમળ હાથ ફેરવીને તેને આશ્વાસન આપવા લાગી, જાણે નવો જન્મ થયો હોય તેમ હિતની વાત કરવા લાગી. ગૂફામાં બેઠા બેઠા તેઓ ક્યારેક તો ધર્મકથા કરે છે, કયારેક ભગવાનની ભક્તિ કરે છે, કયારેક મુનિરાજને યાદ કરે છે ને કયારેક કુટુંબના વર્તાવને યાદ કરે છે. એમ કરતાં કરતાં લગભગ મધરાત થઈ. ત્યાં અત્યંત મધુર સંગીતનો અવાજ સંભળાયો... આવી મધરાતે આ નિર્જન ગૂફામાં જિનેન્દ્રભક્તિના અદ્ભુત સૂર સાંભળીને બન્નેને આશ્ચર્ય થયું. ને એકચિત્તે સાંભળવા લાગી. જેમ ગરૂડ સર્પને ભગાડે તેમ અષ્ટાપદરૂધારી ગંધર્વદેવ સિંહને ભગાડીને, રાત્રિના શાંત વાતાવરણમાં આનંદપૂર્વક વીણા વગાડીને શ્રી જિનેન્દ્રદેવના ગુણગાન કરતો હુતો. ગંધર્વદવો ગાનવિદ્યામાં પ્રસિદ્ધ છે, રાગના ૪૯ સ્થાનો છે તે બધામાં તેઓ પ્રવીણ છે. તે ગંધર્વદવ અત્યંત પ્રીતિપૂર્વક મધુર નાદથી ભગવાનની સ્તુતિ કરવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79