Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૩ ] અંજનીની બાલ્યાવસ્થાનો બધો વૃત્તાંત ગગદ વાણીથી કહ્યો ને અશ્રુપાત કરવા લાગ્યો. અંજની પણ તેને પોતાના મામા જાણીને ભેટી પડી ને રુદન કરવા લાગી, આંસુના બહાને તેનું બધું દુ:ખ નીકળી ગયું, લોકમાં એવી રીત છે કે દુ:ખ પ્રસંગે પોતાના હિતુને દેખતાં રુદન આવી જાય. અંજની રૂએ છે, રાજા પણ રૂએ છે, તેની રાણી પણ રૂએ છે, વસંતમાલા પણ અત્યંત રૂએ છે. એ બધાના રુદનથી ગૂફા એવી ગૂંજવા લાગી-જાણે કે પર્વત પણ રડતો હોય! નિર્ઝરણાં જાણે કે અશ્રુપાત કરતાં હોય ! રુદનના ધ્વનિથી આખું વન છવાઈ ગયું... આખું વન જાણે કે રડતું હોય! હરણ આદિ વનના જીવો પણ તેમની સાથે રુદન કરવા લાગ્યા. થોડીવારે પ્રતિસૂર્ય રાજા શાંત થયા, અંજનીને પણ શાંત પાડીને તેનું મુખ ધોવરાવ્યું. વન પણ, જાણે કે તેમની વાત સાંભળવા ઈચ્છતું હોય તેમ શાંત થઈ ગયું. પહેલા તો અંજની પ્રતિસૂર્યની રાણી સાથે વાતચીત કરવા લાગી; મહાપુરુષોની એ રીત છે કે દુ:ખમાં પણ પોતાનું કર્તવ્ય ચૂકતા નથી. પછી અંજની પોતાના મામાને કહેવા લાગી-હૈ પૂજ્ય ! આ પુત્રનો સમસ્ત વૃત્તાંત જ્યોતિષીઓને પૂછો. ત્યારે સાથેના જ્યોતિષીને રાજાએ પૂછ્યું; જ્યોતિષી કહેવા લાગ્યો કે આ બાળકના જન્મની વેળા બતાવો. વસંતમાલાએ કહ્યું કે આજે અર્ધરાત્રિ વીત્યા બાદ તેનો જન્મ થયો છે. ત્યારે લગ્ન સ્થાપીને બાળકનાં શુભ લક્ષણો જાણીને જ્યોતિષીએ કહ્યું કે આ બાળક મુક્તિનું ભાજન છે, તે ફરીને જન્મ ધારણ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79