________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ ] આવી તેથી તેણે ગૂફાના દ્વાર પાસે પોતાનું વિમાન થંભાવ્યું; અને પોતાની સ્ત્રી સહિત વિનયપૂર્વક ગુફામાં પ્રવેશ કર્યો. તેમને દેખીને વસંતમાલાએ આદર આપ્યો. જેનું ચિત્ત પવિત્ર છે એવો તે વિદ્યાધર થોડીવાર વિનયપૂર્વક બેઠો, અને પછી ગંભીર વચનોથી વસંતમાલાને પૂછવા લાગ્યો કે હું બેન ! આ સુમર્યાદાને ધરનારી બાઈ કોણ છે? તે કોની પુત્રી છે? –કોને પરણી છે? કયા કારણે આ મહાવનમાં રહે છે? કોઇ મોટા ઘરની પુત્રી શા કારણે બધા કુટુંબથી વિખૂટી પડી ગઈ છે? રાગ-દ્વેષરહિત ઉત્તમ જીવોને પણ આ જગતમાં પૂર્વ કર્મથી પ્રેરાઇને વિના કારણે વેરીઓ જાગે છે; આ બાઈ પણ ધર્માત્મા દેખાય છે તેના ઉપર આવાં સંકટ કેમ આવ્યાં?
વિદ્યાધરે સ્નેહપૂર્વક એ પ્રમાણે પૂછતાં, દુઃખના ભારથી જેનો કંઠ રૂંધાઈ ગયો છે એવી વસંતમાલા આંસુ સારતી કષ્ટપૂર્વક કહેવા લાગીહે મહાનુભાવ! આપનાં વચનથી જ આપના મનની શુદ્ધતા જણાઇ આવે છે. જેમ દાહુનાશક ચંદનવૃક્ષની છાયા પણ સુંદર લાગે છે તેમ આપના જેવા ગુણવાન પુરુષોની છાયા હૃદયના ભાવ પ્રગટ કરવાનું સ્થાન છે, આપના જેવા પુરુષોને કહેવાથી દુ:ખ નિવૃત થાય છે, આપ દુ:ખ હરનારા છો; સજ્જન પુરુષોનો સ્વભાવ જ આપદામાં સહાય કરવાનો છે. આપને અમારું દુઃખ સાંભળવાની ઇચ્છા છે તો સાંભળો! –આ અંજનાસુંદરી છે, તે પૃથ્વી પર પ્રસિદ્ધ મહેન્દ્ર રાજાની પુત્રી છે; પ્રફ્લાદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com