Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬: પવન અને અંજનાનું મિલન આ તરફ કુમારથી જાદો પડીને તેનો મિત્ર પ્રહસ્ત પિતા પાસે ગયો અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. એ સાંભળતાં પિતાને શોક થયો, બીજા બધાને પણ શોક થયો. કુંવરની માતા રાણી કેતુમતી પુત્રના શોકથી અત્યંત પીડિત થઇને રોતી-રોતી પ્રસ્તને કહેવા લાગી કે અરે પ્રહસ્ત! તું મારા પુત્રને એકલો છોડીનઆવ્યો તે ઠીક ન કર્યું. પ્રહસ્તે કહ્યું-કુમારે મને અત્યંત આગ્રહ કરીને આપની પાસે મોકલ્યો તેથી હું આવ્યો, હવે હું પાછો ત્યાં જઇશ. માતાએ પૂછયું કે તે કયાં છે! પ્રહતે કહ્યું: જ્યાં અંજની હોય ત્યાં એ હશે. માતાએ પૂછયું: અંજની કયાં છે! પ્રહતે કહ્યું કે તે હું નથી જાણતો. હે માતા! જે વિચાર્યા વગર ઉતાવળથી કામ કરે છે તે પસ્તાય છે. આપના પુત્રે એવો નિશ્ચય કર્યો છે કે જે હું પ્રિયાને ન દેખું તો પ્રાણત્યાગ કરું. એ સાંભળતાં માતા તેમ જ અંતઃપુરની બધી સ્ત્રીઓ રુદન કરવા લાગી; માતા અત્યંત વિલાપ કરે છે કે હાય! મેં પાપિણીએ શું કર્યું? અરે! મેં મહાસતી ઉપર કલંક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79