________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૧] વિદાય થયા; પવનકુમારને આગ્રહ કરીને ત્યાં જ રોક્યો. હનુમાન હુનુન્હ દ્વીપમાં દેવની જેમ રમે છે ને આનંદભરી ચેષ્ટા કરે છે, તેની ચેષ્ટા જોઇને માતા-પિતાને પણ આનંદ થાય છે. એમ કરતાં કરતાં હનુમાન નવયૌવનદશા પામ્યા, કામદેવ હોવાથી તેનું અદ્ભુત રૂપ છે, મહા બળવાન છે, અતિશય બુદ્ધિમાન છે, અનેક મહાન વિધાઓ તેને સિદ્ધ થઈ છે, રત્નત્રયધર્મની પરમ પ્રીતિ છે અને સર્વ શાસ્ત્રોના અભ્યાસમાં પ્રવીણ છે, તથા દેવ-ગુરુ-ધર્મની ઉપાસનામાં સદા તત્પર છે.
શ્રી હનુમાનના જન્મની, તથા પવનંજય અને અંજનીના મિલાપની કથા અહીં પૂરી થાય છે. અંતમાં શાસ્ત્રકાર કહે છે કે-શ્રી હનુમાનના જન્મનું વર્ણન તથા પવનંજય-અંજનીના મિલાપની આ અદ્ભુત કથા અનેક રસથી ભરેલી છે; જે જીવ ભાવ ધરીને આ કથા સાંભળશેસંભળાવશે, વાંચશે-વંચાવશે, તેને ધર્મમાં દઢતા થશે અને વેરાગ્યની વૃદ્ધિ થશે; તેને અશુભ કર્મોથી નિવૃત્તિ થશે ને શુભકાર્યોમાં પ્રવૃતિ થશે; તથા અનુક્રમે તેને ધર્મની વૃદ્ધિ થતાં થતાં, જગતમાં દુર્લભ એવા સ્વર્ગ-મોક્ષના સુખની પ્રાપ્તિ થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com