Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪: હનુમાન જન્મ કેટલાક દિવસો બાદ અંજનીને પ્રસૂતિનો સમય આવતાં કહેવા લાગી- હૈ સખી! આજે મને કંઇક વ્યાકુળતા લાગે છે. ત્યારે વસંતમાલાએ કહ્યું: હું દેવી! આ તારે પ્રસૂતિનો વખત છે, માટે તું આનંદિત થા. એમ કહીને તેને માટે કોમળ પલ્લવની શય્યા બનાવી દીધી... અને તેના ઉપર અંજનીએ પુત્રને જન્મ દીધો... જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ અંજનીએ સૂર્ય જેવા તેજસ્વી હનુમાનને પ્રગટ કર્યા. તેનો જન્મ થતાં જ ગુફાનો અંધકાર દૂર થઇ ગયો ને ગૂફા એવી પ્રકાશરૂપ થઇ ગઇ જાણે કે તે સુવર્ણની જ હોય. અંજની પોતાના પુત્રને છાતીએ ચાંપીને દીનતાપૂર્વક કહેવા લાગી: હે પુત્ર! તું આ ગહનવનમાં ઊપજ્યો, અહીં તારા જન્મનો ઉત્સવ હું કઈ રીતે કરું? જો તારા દાદાને ત્યાં કે નાનાને ત્યાં જન્મ થયો હોત તો તારા જન્મનો મોટો ઉત્સવ થાત ! તારા મુખરૂપી ચંદ્રમા જોઇને કોને આનંદ ન થાય ? પણ હું મંદભાગિની સર્વ વસ્તુ રહિત છું તેથી શું ઉત્સવ કરું? હે પુત્ર! અત્યારે હું બીજું તો કંઇ કરવા સમર્થ નથી, પરંતુ –જીવોને બધી વસ્તુઓ કરતાં દીર્ઘાયુ હોવું દુર્લભ છે તેથી તને આશીર્વાદ આપું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79