________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૨૪] પડયું છે, મને ક્ષમા કરો...' એમ કહીને અંજનીને તથા તેની સખી ને ગાડીમાંથી ઉતારીને તે ચાલ્યો ગયો.
મહા ઉત્તમ મહા પતિવ્રતા અંજનીસુંદરીના અત્યંત દુ:ખને દેખીને સૂર્ય પણ ઝાંખો પડી ગયો અને અસ્ત થઈ ગયો....રોઈરોઈને અંજનીની આંખો લાલ થઈ જતાં પશ્ચિમ દિશા પણ લાલ રંગથી રંગાઈ ગઈ....રાત પડી, અંધકાર થયો....જાણે કે અંજનીના દુઃખથી દુઃખી થઇને પોકાર કરતાં હોય-એમ પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા. અપવાદરૂપ મહાદુઃખસાગરમાં ડૂબેલી અંજની ભૂખ-તરસને ભૂલી ગઈ, મહીં ભયભીત થઇને અશુપાત અને રુદન કરવા લાગી. ત્યારે તેની સખી પરમ સ્નેહપૂર્વક તેને વૈર્ય બંધાવે છે કે હું બહેન તું ધર્ય રાખ! તું આત્માને જાણનારી, તું દેવ-ગુરુની પરમભક્ત, તું મહાન પતિવ્રતા! તારા ઉપર આ સંકટ મારાથી જોઈ શકાતુ નથી.હે સખી! તું ધૈર્ય રાખ, તું હિંમત રાખ, અલ્પકાળમાં તારા દુઃખનો અંત આવી જશે. ધર્માત્મા ઉપર સંકટ લાંબો કાળ રહી કશે નહિ. –એમ વૈર્ય બંધાવીને, પલ્લવ પાથરીને અંજનીને સુવાડી, પણ એને રંચમાત્ર નિદ્રા ન આવી; દુઃખને લીધે એક રાત એક વરસ જેવડી લાગી; વસંતમાલા ક્યારેક તેના પગ દાબે, દિલાસો આપે, એ પ્રમાણે જેમતેમ કરીને રાત વીતાવી.
પ્રભાત થતાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર્યું અને વિક્વળતાપૂર્વક અંજની પોતાના પિતા (-રાજા મહેન્દ્ર) ના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com