Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 33
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ર૬] રાજાની આવી આજ્ઞા સાંભળતાં દ્વારપાળે હાથ જોડીને કહ્યું; મહારાજ ! અંજની એકલી જ આવી છે, તેની સાથે તેની સખી સિવાય બીજું કોઈ નથી. કોઈ જાતનો ઠાઠમાઠ પણ નથી. તેની સાસુએ તેના ઉપર કલંક લગાડીને તેને ધરબહાર કાઢી મૂકી છે. તે અહીં દરવાજે આવીને ઊભી છે, ને અંદર આવવા માટે આપની આજ્ઞાની રાહ જુએ છે. પુત્રીના કલંકની વાત સાંભળતાં રાજા મહેન્દ્રને લજ્જા થઇ, અને મહા ક્રોધપૂર્વક પુત્રને આજ્ઞા કરી કે એ પાપિણીને નગરની બહાર કાઢી મૂકો. એની વાત સાંભળતાં મારા કાન ફાટી જાય છે. ત્યારે, રાજાનો અત્યંત વહાલો મહોત્સાહુ નામનો સામંત કહેવા લાગ્યો-કે હે નાથ ! આવી આજ્ઞા ઉચિત નથી; વસંતમાલાને બધી હકીકત પૂછી જુઓ. આપણી અંજનીકુમારી તો ઉત્તમ સંસ્કારવાળી અને ધર્માત્મા છે. તેની સાસુ કેતુમતી અતિ ક્રૂર છે, વળી તે જૈનધર્મથી પરામુખ છે ને નાસ્તિક મતમાં પ્રવીણ છે, તેથી તેણે વગર વિચાર્યું અંજની ઉપર જઠો દોષ લગાવી દીધો. અંજની તો જૈનધર્મને જાણનારી છે, શ્રાવિકાના વ્રતને ધરનારી છે ને ધર્મના આચરણમાં તત્પર છે. એની પાપિણી સાસુએ એને કાઢી મૂકી છે ને તમે પણ કાઢી મૂકો તો તે કોના શરણે જાય? જેમ વાઘની નજરથી ત્રાસેલી મૃગલી મહા ગહન વનનું શરણ લ્ય, તેમ સાસુથી ત્રાસ પામેલી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79