Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 35
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [૨૮] સખી સહિત દુ:ખથી ભરેલી અંજની રાજાના માણસોને ત્યાં જ્યાં-જ્યાં આશ્રય લેવા ગઈ ત્યાં કોઈએ તેને આવવા ન દીધી...અંદરમાં તો દયા, પણ રાજાના ભયથી સૌએ બારણાં બંધ કરી દીધાં. અરેરે! જ્યાં બારેજ ક્રોધાયમાન થઇને મને કાઢી મૂકી ત્યાં બીજાની શી વાત!! એ તો બધાય રાજાને આધીન છે; –આમ વિચારીને અંજની બધેયથી ઉદાસ થઇ ગઇ, અને આંસુભીની આંખે પોતાની વહાલી સખીને કહેવા લાગી હે પ્રિય સખી! ચાલ, અહીં આપણું કોઈ નથી. આપણા સાચા માતા-પિતા ને રક્ષક તો દેવ-ગુરુ-ધર્મ જ છે, તેનું જ સદા શરણ છે. અહીં તો બધા પાષાણચિત્ત છે, અહીંઆ આપણો વાસ કેવો!! ચાલો, આપણે વનમાં ચાલ્યા જઈએ.. “ચલો સખી વહાં જઇએ, જહાં મુનિઓના વાસ! આત્મસ્વરૂપને સાધવા, વનમાં કરીએ વાસ.' , , , વાઘથી ભયભીત મૃગીની જેમ અંજની પોતાની સખી સાથે વનમાં ચાલી જાય છે. ટાઢ-તડકામાં ને કાંટા-કાંકરામાં ચાલી ચાલીને થાકી ગઈ ત્યારે વનમાં બેસીને રુદન કરવા લાગી: હાય હાય ! હું મંદભાગિની, પૂર્વના પાપને લીધે મહાકષ્ટ પામી શું કરું! કોના શરણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79