________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૧] . પૂણ્ય પૂરા થતાં મહા દુઃખ પામે છે..જીવ ચિંતવે છે કાંઇ, ને થાય છે કાંઇ! –સંયોગ-વિયોગ અને આધીન નથી. જગતના જીવો સંયોગ-વિયોગના ઉદ્યમમાં પ્રવર્તે છે પરંતુ તે સંયોગવિયોગનું કારણ તો પૂર્વોપાર્જિત કર્મનો ઉદય જ છે. જે પ્રિય વસ્તુ પ્રાપ્ત થઇ હોય તે પણ અશુભકર્મના ઉદયથી ચાલી જાય, અને મનમાં કલ્પના પણ ન હોય તે આવી મળે. - આવી કર્મની વિચિત્રતા છે. પૂર્વે તેં જે કર્મો બાંધેલાં છે તેના ફળનો સંયોગ-વિયોગ ટાળ્યો નહિ ટળે. માટે હે સખી! તું વૃથા કલેશ ન કર..ખેદ છોડ... અને વૈર્યથી તારા મનને દઢ કર. તું તો મહાબુદ્ધિમતી છે, હું તને શું શીખવું !તું શું નથી જાણતી, કે હું તને કહું! એમ કહીને બહુ જ સ્નેહપૂર્વક વસ્ત્રથી તેના આંસુ લૂછયા, અને તે શાંત થતાં સખી ફરીને કહેવા લાગી-હે દેવી! આ સ્થાન આશ્રય વિનાનું છે, માટે ચાલો ઊઠો ! આગળ જઇએ; અને આ પહાડની આસપાસમાં, હિંસક જીવો ન પ્રવેશી શકે એવી કોઈ ગૂફા હોય તો તપાસ કરીએ. તમારે પ્રસૂતિનો સમય આવે છે તેથી થોડા દિવસો સાવધાનીથી રહેવું જોઇએ.
સખીના કહેવાથી અંજની તેની સાથે કષ્ટપૂર્વક ચાલવા લાગી. એ ગહન વન હાથી અને ભીલોથી ભરેલું છે, સિંહની ગર્જના અને અજગરના ફૂંફાડાથી મહા ભયાનક છે. આવા માતંગમાલિની નામના ઘોર વનમાં અંજની પોતાની સખી સાથે માંડમાંડ પગલાં ભરે છે. સખી તો આકાશમાર્ગે ચાલવા સમર્થ છે, પણ આ અંજની ગર્ભના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com