Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮ ] પ્રહસ્તે હાથ જોડીને વિનતિપૂર્વક કહ્યું: હૈ કલ્યાણ રૂપિણી ! હું પતિવ્રતા ! અમારો અપરાધ ક્ષમા કરો. હવે અશુભકર્મો દૂર થયાં છે, ને તમારા પ્રેમરૂપ ગુણથી પ્રેરાઈને તમારા પ્રાણનાથ અહીં આવ્યા છે, તે તમારાથી અત્યંત પ્રસન્ન થયા છે; તેની પ્રસન્નતાથી આનંદ ન થાય એ કેમ બને? એ વાત સાંભળીને અંજનીસુંદરી નીચું જોઈ ગઈ; અને વસંતમાળાએ પ્રહસ્તને કહ્યું કે હું ભદ્ર! મેઘ તો જ્યારે પણ વસે ત્યારે ભલો...કુમા૨ આના મહેલે પધાર્યા તે આનું મહાભાગ્ય ! અમારાં પુણ્યરૂપ વૃક્ષ ફળ્યાં. આ પ્રમાણે વાતચીત થતી હતી ત્યાં તો કુમાર આવી પહોંચ્યો. તેનાં નેત્ર આનંદના આંસુથી ભરાઇ ગયાં હતાં; જાણે કે કરુણારૂપી સખી જ તેને અહીં લઇ આવી હતી. પતિને દેખતાં જ અંજની સામે ગઇ, ને હાથ જોડી, શીશ નમાવીને પગે પડી. કુમારે પોતાના હાથેથી તેને ઉઠાડીને, સ્નેહપૂર્વક અમૃતવચનો કહ્યાં કે હે દેવી! કલેશનો બધો ખેદ હવે છોડી દેજો. –એમ કહીને અંજનીને બેસાડી. પ્રહસ્ત અને વસંતમાળા બહાર ચાલ્યા ગયા. પોતાની ભૂલને કારણે લજ્જિત થઈને પવનકુમારે વારંવાર અંજનીને કુશલ-સમાચાર પૂછયા, અને કહ્યું કે હૈ પ્રિયે મેં તમારો જે વૃથા અનાદર કર્યો તેની ક્ષમા કરો. મેં પરાયો દોષ તમારા ઉ૫૨ નાંખ્યો, તે મારો અપરાધ ભૂલી જાઓ...મારો અપરાધ ક્ષમાવવા માટે હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79