________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯] તમારા પગે પડું છું તમે મારા ઉપર અતિ પ્રસન્ન થાઓ આ પ્રમાણે પવનકુમારે ઘણો સ્નેહ બતાવ્યો.
ત્યારે પ્રાણનાથનો આવો સ્નેહ દેખીને મહાસતી અંજની પ્રસન્નતાપૂર્વક કહેવા લાગી. હે નાથ ! મારો આવો વિનય કરવો આપને ઉચિત નથી. મારું હૃદય તો સદા આપના ધ્યાનથી સંયુક્ત જ હતું તેથી આપ સદાય મારા હૃદયને વિષે બિરાજતા હતા; ને આપનો અનાદર પણ મને આદર સમાન ભાસતો. હવે તો આપે કૃપા કરીને ઘણો સ્નેહુ બતાવ્યો તેથી મને પ્રસન્નતા થઈ, મારા મનોરથ સિદ્ધ થયા.
એ પ્રમાણે બન્નેએ પરસ્પર સ્નેહપૂર્વક વાતચીતથી અને સમાગમથી રાત વીતાવી.
સવાર થતાં જ પ્રહસ્તમિત્રે આવીને કુમારને કુશલસમાચાર પૂછયા અને કહ્યું કે હું મિત્ર! હવે જલદી પાછા ચાલો; પ્રિયાજીનું વિશેષ સન્માન પાછા આવીને કરજો. અત્યારે તો કોઇ ન જાણે તેમ કટકમાં પહોંચી જવાનું છે. બીજા રાજા પણ આપણી રાહુ જાએ છે કે તે આવે એટલે સાથે જઇએ; વળી મહારાજા રાવણ પણ રોજ મંત્રીઓને પૂછે છે કે પવનકુમારના ડરા કયાં છે ને કયારે આવી પહોંચે છે? માટે હવે વિલંબ ન કરો. પ્રિયાજીની વિદાય લઇને જલદી આવો. –આમ કહીને પ્રસ્ત તો બહાર ચાલ્યો ગયો.
પવનકુમાર અંજની પાસે વિદાય માંગતા સ્નેહપૂર્વક કહ્યું: હે પ્રિયે ! હવે હું જાઉં છું, તમે ઉદ્ધગ ન કરશો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com