________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सात्त्विकाचारधर्मेषु सात्त्विक सद्गुणेष्वपि । आत्मबुद्धिं न संध्याज्ज्ञानी शुद्धोपयोगवान् ॥१८६ ॥
શુદ્ધોપયોગવાળા જ્ઞાનીએ સાત્ત્વિક આચારયુક્ત ધર્મોમાં તેમજ સાત્ત્વિક સદ્ગણોમાં પણ આત્મબુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. (૧૮૬)
सत्त्वरजस्तमोवृत्त्या भिन्न आत्माऽस्ति वस्तुतः । ज्ञात्वैवमाऽऽत्मनः शुद्धिं कुर्वन्ति [पयोगिनः ॥१८७॥
સત્ત્વ, રજસ તથા તમોવૃત્તિથી આત્મા વસ્તુતઃ ભિન્ન છે – એમ જાણીને ખરેખર શુદ્ધ સ્વાત્મામાં જ ઉપયોગવાળા આત્માની શુદ્ધિ કરે છે. (૧૮૭)
गीतार्थगुरुनिश्रां ये कृत्वा ब्रह्मोपयोगिनः । स्वाधिकारेण वर्तन्ते स्युर्मुकताः स्वभावतः ॥१८८ ॥
ગીતાર્થ ગુરુની નિશ્રા ધારણ કરીને બ્રહ્મમાં ઉપયોગવાળા જેઓ પોતાના અધિકાર પ્રમાણે વર્તે છે, તેઓ સ્વભાવથી મુક્ત છે. (૧૮૮)
स्वाऽऽत्मायत्तं मनः कृत्वा शुद्धाऽऽत्मानं स्मर स्वयम् । आत्मन्येव स्थिरीभूय शुद्धब्रह्म भविष्यसि ॥१८९॥
મનને સ્વાત્માધીન કરીને તું સ્વયં શુદ્ધાત્માનું સ્મરણ કર, જેથી આત્મામાં જ સ્થિર થઈને તું શુદ્ધબ્રહ્મ થઈશ. (૧૮૯)
सतां सङ्गं तु मा मुञ्च व्यक्तशुद्धोपयोगिनाम् । सतां सङ्गात् प्रभुळक्तो दीपाद्दीपो भवेद्यथा ॥१९० ।।
તું પ્રકટ શુદ્ધોપયોગવાળા સપુરુષોના સંગને તો છોડતો નહીં, કારણ કે જેમ દીપકથી દીપક પ્રગટે છે, તેમ સત્પષોના સંગથી પ્રભુ વ્યક્ત થાય છે. (૧૯૦)
૩૮
For Private And Personal Use Only