________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कषायाणां निमित्तेभ्यो येषां मोहो न जायते । तेषां मोहनिमित्तानां सङ्गेऽपि नैव दोषता ॥२४१॥
કષાયોનાં નિમિત્તોથી જેઓને મોહ થતો નથી, તેઓને મોહનાં નિમિત્તોનો સંગ હોવા છતાં પણ દોષપણું હોતું જ નથી. (૨૪૧)
मोहनिमित्तसंस्थोऽपि निर्मोही चोपयोगतः। ईदृज्ज्ञानी भवेन्मुक्तो भोग्यपि भोगवर्जितः ॥२४२॥
મોહનાં નિમિત્તોની વચ્ચે રહેલો હોવા છતાં પણ જે આત્માના ઉપયોગથી નિર્મોહી છે, તે ભોગી હોવા છતાં પણ ભોગવતિ છે અને આવો જ્ઞાની મુક્ત થાય છે. (૨૪૨)
स्थूलभद्रादिकल्पानामात्मशुद्धोपयोगिनाम् । सर्वदा सर्वथा बह्म पूर्ण हृदि प्रकाशते ॥२४३ ॥
સ્થૂલભદ્રાદિ જેવા આત્મશુદ્ધોપયોગવાળાઓનાં દયમાં સર્વ પ્રકારે હંમેશાં પૂર્ણ બ્રહ્મ પ્રકાશે છે. (૨૪૩).
कामरसो न भोगेषु यस्य ब्रह्मरसोद्भवः। कामोत्पादकसङ्गोऽपि तस्य निष्कामकारणम् ॥२४४ ॥
જેને ભોગોમાં કામરસ નથી અને બ્રહ્મરસ ઉત્પન્ન થયેલો છે, તેને કામ ઉત્પન્ન કરે એવો સંગ પણ નિષ્કામનું અર્થાત્ કામ મુક્ત થવાનું કારણ થાય છે. (૨૪૪)
अनुभूय निजाऽऽत्मानं पूर्णानन्दमयं प्रभुम् । बहिरन्तश्च सर्वत्र पूर्णानन्दमयो भव ॥२४५ ॥
પૂર્ણ આનંદમય પ્રભુ એવા પોતાના આત્માને અનુભવીને તું બહાર અને અંદર સર્વત્ર પૂર્ણ આનંદમય થા. (૨૪૫)
૪૯ For Private And Personal Use Only