Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आन्तरं जीवनं पोष्यं प्रामाण्यस्वोद्यमादिकैः । आत्मोपयोगशुद्धयर्थं सत्त्वजीवनकारणम् ॥ ६३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મોપયોગની શુદ્ધિને માટે સત્ત્વગુણવાળું જીવન કારણ છે, તેથી પ્રમાણભૂત અર્થાત્ માન્ય હોય એવા પોતાના ઉદ્યમ વગેરેથી આંતરિક જીવન પોષવું જોઈએ. (૬૩૧)
रोगभ्य औषधादीनां दानं शक्त्यनुसारतः । विद्यादानञ्च बालेभ्यो देयमात्मोपयोगिभिः ॥ ६३२ ॥
આત્મોપયોગવાળાઓઐ શક્તિ અનુસાર રોગીઓને ઔષધ વગેરેનું દાન અને બાળકોને વિદ્યાદાન દેવું જોઈએ. (૬૩૨)
गृहागतस्य सत्कारः कर्तव्यो भोजनादिभिः । आपत्काले च दुर्भिक्षे कर्तव्यं लोकपालनम् ॥ ६३३ ॥
ઘરે આવેલાને ભોજન વગેરેથી સત્કાર કરવો જોઈએ તથા આપત્તિના સમયે અને દુષ્કાળમાં લોકોનું પાલન કરવું જોઈએ. (૬૩૩)
सूरिवाचकसाधूनां वैयावृत्यं सुभावतः ।
कर्तव्यञ्च तथा सेवाभक्तिरात्मोपयोगिभिः ॥ ६३४ ॥
આત્મોપયોગવાળાઓએ સારા ભાવથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓનું વૈયાવૃત્ય કરવું જોઈએ તથા સેવા અને ભક્તિ કરવી જોઈએ. (૬૩૪)
दानाद्यैरात्मशुद्धिः स्यात्तथा सद्गुरुसङ्गतः । प्रादुर्भवति मोक्षार्थमात्मोपयोग आन्तरः ॥ ६३५ ॥
દાન વગેરેથી આત્મશુદ્ધિ થાય છે તથા સદ્ગુરુના સંગથી મોક્ષને માટે આંતરિક આત્મોપયોગ પ્રકટે છે. (૯૩૫)
૧૨૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177