Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 158
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कर्मजन्यं सुखं दुःखमात्मना तदुपार्जितम् । स्वकृतकर्मभोगेषु कुप्य मा तुष्य देहिषु ॥७१६ ॥ સુખ તથા દુઃખ કર્મજન્ય છે અને તે આત્મા વડે ઉપાર્જિત કરાયેલું છે. તેથી પોતે કરેલાં કર્મોના ભોગોમાં તું દેહધારીઓ પર રોષ કર મા તેમજ તોષ કર મા. (૭૧૬). सुखदुःखप्रदं कर्म तत्कर्ताऽऽत्माऽस्ति सर्वथा । ज्ञात्वैवं समभावेन कर्म भुञ्जन्ति पण्डिताः ॥७१७ ॥ સુખ અને દુઃખને આપનાર કર્મ છે. તેનો કર્તા સર્વથા આત્મા છે. એમ જાણીને પંડિતો સમભાવથી કર્મ ભોગવે છે. (૭૧૭) जानन्ति ज्ञानिनः सत्यं कर्मणो गहनां गतिम् । प्राप्ते सुखे च दुःखे ते नैव मुह्यन्ति मोहतः ।।७१८ ॥ ‘કર્મની ગતિ ગહન છે,' આ સત્યને જ્ઞાનીઓ જાણે છે. માટે જ પ્રાપ્ત થયેલા સુખ અને દુઃખમાં તેઓ મોહ પામતા નથી જ. (૭૧૮) कर्मकर्ताऽस्ति कर्मैव शुद्धनिश्चयदृष्टितः । कर्मकर्ताऽस्ति चाऽऽत्मैव नयात्तु व्यवहारतः ॥७१९ ॥ શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિથી કર્મ જ કર્મને કરનાર છે અને વ્યવહાર નયની દૃષ્ટિથી તો આત્મા જ કર્મનો કર્તા છે. (૭૧૯) रागद्वेषादिकं भावकर्माऽस्ति जिनभाषितम् । अष्टधा कर्मणां भेदा द्रव्यकर्माऽस्ति निश्चिनु ॥७२० ।। શ્રી જિનશ્વરોએ કહ્યું છે કે, રાગ અને દ્વેષ વગેરે ભાવકર્મ છે તથા આઠ પ્રકારનાં કર્મોના ભેદો દ્રવ્યકર્મ છે, એમ તું નિશ્ચય કર. (૭૨૦) ૧૪૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177