Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 152
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कर्मसम्बन्धमुक्तास्ते निर्मला एकरूपिणः । न संकोचं विकासं ते प्राप्नुवन्ति सदा स्थिराः ॥६८६ ॥ કર્મસંબંધથી મુક્ત થયેલા આત્મપ્રદેશો નિર્મલ એકરુપવાળા હોય છે. તે સંકોચ અને વિકાસને પામતા નથી. સદા સ્થિર રહે છે. (૬૮૬) प्रतिप्रदेशमानन्त्यं ज्ञानादीनामनादितः । अनन्ता गुणपर्याया आत्मनि सन्ति सर्वदा ॥ ६८७ ॥ આત્માના પ્રત્યેક પ્રદેશે અનાદિ કાલથી જ્ઞાન આદિ ગુણોનું અનંતપણું છે. આત્મામાં સર્વદા અનંતા ગુણ અને પર્યાયો હોય છે. (૬૮૭) मनोवाक्कायगुप्त्या यत् सामर्थ्यमात्मनः स्फुटम् । व्याप्रियते हि मुक्यर्थं सामर्थ्ययोग इष्यते ॥६८८ ॥ આત્માનું જે સ્પષ્ટ સામર્થ્ય મન, વચન, અને કાયાની ગુપ્તિથી ખરેખર મુક્તિને માટે વપરાય છે, તે સામર્થ્યયોગ કહેવાય છે. (૬૮૮) सन्ति योगा असंख्याता बाह्यान्तरप्रभेदतः । एकैकयोगमाश्रित्य अनन्ता मोक्षगा जनाः ॥६८९ ॥ બાહ્ય અને આંતર પ્રભેદથી યોગો અસંખ્ય છે. એક એક યોગનો આશ્રય કરીને મોક્ષે જનારા જનો અનંત છે. (૬૮૯) उपशमादिभावेन स्वात्मन आन्तराः खलु । शुभशुद्धपरीणामयोगा भवन्ति धर्मिणाम् ॥६९० ॥ ધર્મીઓના પોતાના આત્માના ઉપશમ આદિ ભાવથી ખરેખર આંતરિક શુભ અને શુદ્ધ પરિણામવાળા યોગો થાય છે. (૯૯૦) ૧૩૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177