________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्मसम्बन्धमुक्तास्ते निर्मला एकरूपिणः । न संकोचं विकासं ते प्राप्नुवन्ति सदा स्थिराः ॥६८६ ॥
કર્મસંબંધથી મુક્ત થયેલા આત્મપ્રદેશો નિર્મલ એકરુપવાળા હોય છે. તે સંકોચ અને વિકાસને પામતા નથી. સદા સ્થિર રહે છે. (૬૮૬)
प्रतिप्रदेशमानन्त्यं ज्ञानादीनामनादितः । अनन्ता गुणपर्याया आत्मनि सन्ति सर्वदा ॥ ६८७ ॥
આત્માના પ્રત્યેક પ્રદેશે અનાદિ કાલથી જ્ઞાન આદિ ગુણોનું અનંતપણું છે. આત્મામાં સર્વદા અનંતા ગુણ અને પર્યાયો હોય છે. (૬૮૭)
मनोवाक्कायगुप्त्या यत् सामर्थ्यमात्मनः स्फुटम् । व्याप्रियते हि मुक्यर्थं सामर्थ्ययोग इष्यते ॥६८८ ॥
આત્માનું જે સ્પષ્ટ સામર્થ્ય મન, વચન, અને કાયાની ગુપ્તિથી ખરેખર મુક્તિને માટે વપરાય છે, તે સામર્થ્યયોગ કહેવાય છે. (૬૮૮)
सन्ति योगा असंख्याता बाह्यान्तरप्रभेदतः । एकैकयोगमाश्रित्य अनन्ता मोक्षगा जनाः ॥६८९ ॥
બાહ્ય અને આંતર પ્રભેદથી યોગો અસંખ્ય છે. એક એક યોગનો આશ્રય કરીને મોક્ષે જનારા જનો અનંત છે. (૬૮૯)
उपशमादिभावेन स्वात्मन आन्तराः खलु । शुभशुद्धपरीणामयोगा भवन्ति धर्मिणाम् ॥६९० ॥
ધર્મીઓના પોતાના આત્માના ઉપશમ આદિ ભાવથી ખરેખર આંતરિક શુભ અને શુદ્ધ પરિણામવાળા યોગો થાય છે. (૯૯૦)
૧૩૮
For Private And Personal Use Only