Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सविषोऽस्ति यथा सर्पो लोकानां प्राणनाशकः ।
तथा मिथ्यात्वयुक्तोऽस्ति जीवः स्वान्यविनाशकः ॥ ૬૨૨ા.
જેમ ઝેરવાળો સર્પ લોકોના પ્રાણનો નાશ કરનાર થાય છે, તેમ મિથ્યાત્વયુક્ત જીવ પોતાનો અને પરનો વિનાશ કરનાર થાય છે. (૬૨૧)
निर्विषोऽस्ति यथा सर्पो दंशन् नाऽन्यविनाशकः । सम्यग्दर्शनवान् जीवस्तथा स्वान्याविनाशकः ॥६२२॥
જેમ નિર્વિષ સર્પ દંશ દેતાં છતા અન્યનો વિનાશ કરનાર થતો નથી, તેમ સમ્યગ્દર્શનવાળો જીવ પોતાનો અને પરનો વિનાશ કરનાર થતો નથી. (૬૨૨)
पञ्चेन्द्रियैर्भवेद्भोगी सम्यग्दर्शनवान् जनः । आत्मशुद्धोपयोगेन स्वाल्पबन्धश्च मुक्तये ॥६२३॥
પાંચ ઈન્દ્રિયો વડે ભોગ ભોગવનાર સમ્યગ્દર્શનવાળો મનુષ્ય આત્મશુદ્ધોપયોગથી સ્વલ્પબંધવાળો અને મુક્તિને માટે યોગ્ય બને છે. (૬૨૩)
पशूनां रक्षणं कार्यं पक्षिणाञ्च विशेषतः । यतना सर्वकार्येषु कार्यं स्ववीर्यरक्षणम् ॥६२४ ॥
વિશેષ કરીને પશુઓનું અને પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ. સર્વકાર્યોમાં યતના રાખવી જોઈએ અને પોતાના વીર્યનું રક્ષણ કરવું જોઈએ. (૬૨૪).
अन्नं जलञ्च वस्त्रञ्च देयं तदर्थिने शुभम् । यत्काले यच्च योग्यं स्यात्तदेयं मुक्तिकामिभिः ॥६२५॥
શુભ અન્ન, જલ અને વસ્ત્ર તેના અર્થીને આપવાં જોઈએ અને મુક્તિની ઈચ્છાવાળાઓએ જે કાલે જે યોગ્ય હોય, તે આપવું જોઈએ. (૬૨૫)
૧ ૨૫.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177